રાંધણ છઠ પર બનાવો શક્કરપારા રેસીપી, ક્રિસ્પી અને ટેસ્ટી બનશે

Aug 13, 2025, 08:47 PM

રાંધણ છઠ

રાંધણ છઠના દિવસે બધા જ ઘરોમાં ઘણી વાનગીઓ બનાવવામાં આવે છે. જે શીતળા સાતમના દિવસે ખાઇ શકાય.

ઘરે બનાવો

તમે શક્કરપારા બનાવી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ. તેનાથી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે.

શક્કરપારા સામગ્રી

મેંદાનો લોટ, રવો, મીઠું, દળેલી ખાંડ, ઘી, પાણી, તેલ.

શક્કરપારા બનાવવાની રીત

સૌ પ્રથમ એક બાઉલમાં મેંદાના લોટમાં રવો, મીઠું અને ઘી નું મોણ એડ કરી બરાબર મિક્સ કરો.

સ્ટેપ 2

બીજી બાજુ એક તપેલીમાં પાણી લઇ ખાંડને પાણીમાં ઓગાળી લો. તે પાણીથી કઠણ લોટ બાંધી લો. આ પછી તેને કલાક ઢાંકીને રહેવા દો.

સ્ટેપ 3

હવે લોટમાંથી લુઓ લઇ મોટી જાડી રોટલી વણી લેવી. આ પછી તેને તમારા પસંદ પ્રમાણે પીઝા કટર અથવા ચપ્પુથી આકાર આપી કટ કરો.

સ્ટેપ 4

આ પછી એક પેનમાં ગેસ પર તેલ ગરમ કરવા મુકો. તેમાં શક્કરપારાના ટુકડા નાખો અને ધીમા તાપે ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.

શક્કરપારા તૈયાર

આ પછી તેને ઝારાથી બહાર કાઢી એક વાસણમાં લઇ લો. આ રીતે તમારા ટેસ્ટી શક્કરપારા તૈયાર થઇ જશે.

સર્વ કરો

તે ઠંડા પડે એટલે એરટાઇટ ડબ્બામાં ભરી લો. શીતળા સાતમના દિવસે ખાઇ શકો છો. તેને ચા સાથે સર્વ કરો. શરૂઆતમાં શક્કરપારા પોચા લાગશે પણ ઠંડા થતાં તે કડક થઇ જશે.