Aug 13, 2025

રાંધણ છઠ પર બનાવો શક્કરપારા રેસીપી, ક્રિસ્પી અને ટેસ્ટી બનશે

Ashish Goyal

રાંધણ છઠ

રાંધણ છઠના દિવસે બધા જ ઘરોમાં ઘણી વાનગીઓ બનાવવામાં આવે છે. જે શીતળા સાતમના દિવસે ખાઇ શકાય.

Source: social-media

ઘરે બનાવો

તમે શક્કરપારા બનાવી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ. તેનાથી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે.

Source: social-media

શક્કરપારા સામગ્રી

મેંદાનો લોટ, રવો, મીઠું, દળેલી ખાંડ, ઘી, પાણી, તેલ.

Source: social-media

શક્કરપારા બનાવવાની રીત

સૌ પ્રથમ એક બાઉલમાં મેંદાના લોટમાં રવો, મીઠું અને ઘી નું મોણ એડ કરી બરાબર મિક્સ કરો.

Source: social-media

સ્ટેપ 2

બીજી બાજુ એક તપેલીમાં પાણી લઇ ખાંડને પાણીમાં ઓગાળી લો. તે પાણીથી કઠણ લોટ બાંધી લો. આ પછી તેને કલાક ઢાંકીને રહેવા દો.

Source: social-media

સ્ટેપ 3

હવે લોટમાંથી લુઓ લઇ મોટી જાડી રોટલી વણી લેવી. આ પછી તેને તમારા પસંદ પ્રમાણે પીઝા કટર અથવા ચપ્પુથી આકાર આપી કટ કરો.

Source: social-media

સ્ટેપ 4

આ પછી એક પેનમાં ગેસ પર તેલ ગરમ કરવા મુકો. તેમાં શક્કરપારાના ટુકડા નાખો અને ધીમા તાપે ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.

Source: social-media

શક્કરપારા તૈયાર

આ પછી તેને ઝારાથી બહાર કાઢી એક વાસણમાં લઇ લો. આ રીતે તમારા ટેસ્ટી શક્કરપારા તૈયાર થઇ જશે.

Source: social-media

સર્વ કરો

તે ઠંડા પડે એટલે એરટાઇટ ડબ્બામાં ભરી લો. શીતળા સાતમના દિવસે ખાઇ શકો છો. તેને ચા સાથે સર્વ કરો. શરૂઆતમાં શક્કરપારા પોચા લાગશે પણ ઠંડા થતાં તે કડક થઇ જશે.

Source: social-media

Source: social-media