ઉનાળામાં તમારી ત્વચાની સંભાળ રાખવા માટે, તમારે કેટલાક ખાસ પગલાં લેવા જોઈએ જેથી તમારી ત્વચા હાઇડ્રેટેડ અને સ્વસ્થ રહે.
ઉનાળામાં આપણને વધુ પરસેવો થાય છે, જેના કારણે શરીર અને ત્વચા બંનેમાં પાણીની ખોટ થઈ શકે છે. આ માટે પૂરતું પાણી પીવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત, કાકડી, તરબૂચ અને નારંગી જેવા પાણીયુક્ત ફળો ખાવાથી પણ ત્વચાને ભેજ મળે છે અને તે તાજી રહે છે.
ઉનાળામાં સૂર્યના સીધા કિરણો ત્વચાને નુકસાન પહોંચાડે છે. જ્યારે પણ તમે બહાર જાઓ, ત્યારે સૂર્યના કિરણોથી બચવા માટે છાયામાં રહેવાનો પ્રયાસ કરો અથવા હળવા કપડાં પહેરો. જો જરૂરી હોય તો, સૂર્યપ્રકાશને કારણે થતી ત્વચાની સમસ્યાઓથી બચવા માટે છત્રી અથવા ટોપીનો ઉપયોગ કરો.
સૂર્યના હાનિકારક યુવી કિરણોથી પોતાને બચાવવા માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે. તે સ્કિનને બળતરા, સનબર્ન અને ઉંમરના ફોલ્લીઓથી રક્ષણ આપે છે. તમારી ત્વચા સારી રીતે સુરક્ષિત રહે તે માટે SPF 30 કે તેથી વધુ ધરાવતું સનસ્ક્રીન પસંદ કરો.
ઉનાળામાં પણ તમારી ત્વચાને ભેજની જરૂર હોય છે, કારણ કે ઠંડી અને ગરમીમાં ફેરફાર તમારી ત્વચાને શુષ્ક બનાવી શકે છે. તેથી સારા મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો જે ત્વચાને નરમ અને મુલાયમ રાખે છે.
ઉનાળામાં પરસેવા અને પ્રદૂષણને કારણે ત્વચા પર ગંદકી જમા થઈ શકે છે, જેના કારણે ખીલ અને બ્લેકહેડ્સ થઈ શકે છે. તમારી ત્વચા પર જામેલી ગંદકી અને તેલ દૂર કરવા માટે દિવસમાં બે વાર હળવા ફેસવોશથી ચહેરો ધોઈ લો. જેથી સ્કીન ક્લીન અને ફ્રેશ રહે છે.