Jan 01, 2025
ઊંધિયું ઉત્તરાયણ પર બનાવવામાં આવતી પ્રખ્યાત ગુજરાતી વાનગી છે. ઊંધિયુંમાં વિવિધ પ્રકારના લીલા શાકભાજી, કંદમૂળ અને મસાલાનો ઉપયોગ થાય છે. ઊંધિયું સ્વાદમાં બહુ ટેસ્ટ હોય છે. અહીં ચટાકેદાર સુરતી ઊંધિયું બનાવવાન રેસીપી આપી છે.
સુરતી પાપડી, શક્કરિયા, રતાળુ, બટાકા, રીંગણ, કાળા કેળા, વટાણા, લીલી તુવેર, લીલા મરચા આદં ડુંગળી અને લસણની પેસ્ટ, મેથીના મુઠિયા, તેલ, લીલા મરચા, કોથમીર, લીંબુનો રસ, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, ઉંધિયાનો મસાલો, મીઠું સ્વાદ અનુસાર, તમાપ પત્ર, જીરું, હિંગ, અજમો
સુરતી ઉંધિયું બનાવવા માટે સૌથી પહેલા બધા શાકભાજી પાણીમાં બરાબર ધોઇ લો. હવે પાપડી છોલી દાણા કાંઢી લો, રીંગણમાં મસાલો ભરી લો. બાકી બધા શાકભાજી ઝીણા સમારી લો.
ચણાના લોટમાં મેથી નાંખી મુઠિયા બનાવો અને તેલમાં તળી તૈયાર રાખો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો, તેમા તમાલ પત્ર, જીરું, હિંગ અને અજમાનો વધાર કરો. તેમા લીલા મરચા આદં ડુંગળી અને લસણની પેસ્ટ સાંતળી લો. પછી તેમા લાલ મરચું પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર અને ઊંધિયુંનો મસાલો ઉમેરી બધો મસાલો પકવવા દો.
મસાલો સાંતળી જાય એટલે તેમા બધા શાકભાજી ઉમેરી સહેજ પાણી નાંખી પકવવા દો. જો તમે પાણી વગર પણ ઉંધિયું બનાવી શકો છો. તેની માટે કડાઇ ઉપર એક વાસણમાં પાણી ભરીને મૂકી દો.
ગેસ પર ધીમા તાપે ઊંધિયું પકવવો. ઊંધિયું દાઝી ન જાય તે માટે સમય સમય પર ઊંધિયું હલાવતો રહો. બધા શાકબાજી બરાબર બફાઈ જાય પછી ગેસ બંધ કરી દો.
હવે લીંબનો રસ અને કોથમીર ઉમેરી સુરતી ઊંધિયું ગરમા ગરમ પુરી સાથે સર્વે કરો.