ચાલવું એટલે કે વોક કરવું એક શારીરિક કસરત સમાન છે. ઘણા લોકો સવારે કે રાત્રે ચાલવા જાય છે. ખાસ કરીને ડાયાબિટીસ દર્દીઓ માટે રાતે ભોજન કર્યા પછી ચાલવું લાભદાયી છે.
રાતે જમ્યા બાદ ચાલવાથી ખોરાક સારી રીતે પચે છે. ગેસ, અપચો, અને એસિડિટીની સમસ્યાઓ ઓછા થાય છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે રાત્રે જમ્યા બાદ ચાલવું લાભદાયી છે. રાતે ભોજન કર્યા બાદ ચાલવાથી બ્લડ સુગર લેવલ કન્ટ્રોલમાં રહે છે.
રાત્રે ભોજન કર્યા બાદ ચાલવાથી કેલરી બર્ન થાય છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.
નિયમિત વોક કરવાથી કોલેસ્ટરોલ અને બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે, જે હૃદય રોગનું જોખમ ઘટાડે છે.
રાત્રે જમ્યા પછી ચાલવાથી શરીર હલકું લાગે છે, ઊંઘ સારી આવવામાં મદદ કરે છે.
ચાલવાથી શરીરની પાચનક્રિયા સારી રહે છે, જેનાથી મેટાબોઝિમ ઝડપી થાય છે અને શરીરમાં ચરબી જમા થતી નથી.
ચાલવાથી મન પ્રસન્ન રહે છે અને ડિપ્રેશન અથવા તણાવ દૂર થાય છે.