આ વર્ષે મહાશિવરાત્રી 15 ફેબ્રુઆરી 2026ના રોજ ઉજવાશે અને લાખો ભક્તો ઉપવાસ રાખીને ભોળાનાથને પ્રસંન્ન કરવાનો પ્રયત્ન કરશે.
શિવરાત્રીના ઉપવાસમાં તમે રાજગરાના શીરો ચોક્કસ ટ્રાય કરી શકો. અહીં શરીરને એનર્જી મળે એવા રાજગરાના શીરાની રેસીપી આપેલી છે.
1 કપ રાજગરાનો લોટ, 1/2 કપ ઘી, 3/4 કપ ગોળ, 2.5 કપ પાણી અથવા દૂધ, એલચી પાવડર, અને ડ્રાયફ્રુટ્સ (કાજુ-બદામ).
શીરો બનાવવા માટે સૌથી પહેલા એક જાડા તળિયાવાળી કડાઈમાં ઘી ગરમ કરી રાજગરાનો લોટ ધીમા તાપે બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.
લોટ શેકાય ત્યાં સુધી બીજા સ્ટવ પર દૂધ કે પાણી તમારે જે વાપરવું હોય એ ગરમ કરવા મુકો. અહીં દૂધનો ઉપયોગ કરીશું. એક તપેલીમાં દૂધ ગરમ કરવા મુકો.
હવે ગરમ દૂધને રાજગરાના લોટમાં ઉમેરો અને સતત હલાવતા રહો. લોટમાં ગાંઠ ન બને એનું ખાસ ધ્યાન રાખવું.
હવે છીણેલો ગોળ ઉમેરીશું. અહીં તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યાર બાદ તેમાં ઈલાયચી પાઉડર ઉમેરો. ઘી ન છૂટે ત્યાં સુધી હલાવતા રહીને શીરાને શેકો.
ઘી છૂટે ત્યારે ગેસ બંધ કરો અને ઉપરથી કટ કરેલા તમને ગમતા ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને ગાર્નિસ કરો. અમે ઉપવાસમાં ગરમા ગરમ લીજ્જત માણો.
ખીચડી બનાવવામાં શું ધ્યાન રાખવું