વસંત પંચમી હિન્દુ ધર્મનો ખાસ તહેવાર છે, જે મહા સુદ પાંચમ તિથિ પર ઉજવાય છે. વસંત પંચમી પર માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.
વસંતપંચમીનો દિવસ વિદ્યાભ્યાસ શરૂ કરવા આદિવસ શુભ મનાય છે. આ દિવસે પીળા રંગના વસ્ત્ર પહેરવાની અને પીળા કલરની મીઠાઇ ખાવાની પરંપરા છે.
પનીર, મેંદો, ખાંડ, પીળો ફૂડ કલર, કેસરના તાંતણા, એલચી પાઉડર, બદામ અને પીસ્તાના ટુકડા, પાણી
પનીર રાજભોગ બનાવવા માટે સૌથી પહેલા કેસર, એલચી પાઉડર, બદામ અને પીસ્તાને એક સાથે મિક્સ કરી લો. પછી એક પાણીમાં ખાંડને મીડિયમ તાપે ઓગાળો.
હવે એક વાસણમાં છીણેલું પનીર અને મેંદો મિક્સ કરો. તેનો એક નરમ લોટ જેવું બનાવો.
આ મિશ્રણ માંથી ગુલાબ જેવા નાના નાના બોલ તેને હથેળી વડે ચપટા કરી દો. પછી તેમા ડ્રાઇફ્રૂટ્સનું સ્ટફિંગ ભરો અને તેને ગોળાકાર બંધ કરી દો.
હવે ખાંડ વાળા પાણીમાં રાજભોગને નાંખો અને તેને ધીમા તાપે 15 થી 20 મિનિટ સુધી પકવવા દો.
આ દરમિયાન ગેસની આંચ ધીમી રાખો. પ્રત્યેક 5 મિનિટે એક વખત ઉકાળો આવવો દો, જેથી ખાંડ ઘટ્ટ ન થાય. આ રીતે તમે ઓછી મહેનતે સરળતાથી પનીર રાજભોગ બનાવી શકો છો.
પનીર રાજભોગ એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ હોય છે, જે ખાવામાં રસગુલ્લા જેવા હોય છે.