May 29, 2023

ચારધામ કેદારનાથની યાત્રાનો બેસ્ટ સમય, રૂટ, જોવાલાયક સ્થળોની સંપૂર્ણ માહિતી

Ajay Saroya

હાલ ચાર ધામની યાત્રા ચાલી રહી છે, જેમાં કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમનોત્રીની કઠિન ધાર્મિક યાત્રા કરવામાં આવે છે.

ચાર ધામમાં સૌથી વિશેષ મહત્વ કેદારનાથ મંદિરના દર્શનનો છે. જે 12 જ્યોર્તિર્લિંગ પૈકીનું એક શિવ મંદિર પણ છે.

યાત્રાનો શ્રેષ્ઠ સમય 

કેદારનાથ યાત્રા માટેનો શ્રેષ્ઠ સમય મે થી ઓક્ટોબર સુધી ગણાય છે. શિયાળો શરૂ થતા જ મંદિર બંધ કરી દેવામાં આવે છે.

ક્યાં રોકાવું 

કેદારનાથની આસપાસ રોકવા માટે સારી એવી વ્યવસ્થા હાલ થઇ ગઇ છે.

કેટલું તાપમાન હોય છે

કેદારનાથમાં સરેરાશ 3થી 12 ડિગ્રી સેલ્શિયલ જેટલું તાપમા રહે છે.

નજીકનું એરપોર્ટ

નજીકનું એરપોર્ટ  જોલી ગ્રાન્ટ છ, જે કેદારનાથથી 238 કિમી દૂર આવેલું છે.

નજીકનું રેલવે સ્ટેશન

કેદારનાથ પહોંચવા માટે સૌથી નજીકનું રેલવે સ્ટ્રેશન  ઋષિકેશ છે, જે મંદિરથી 216 કિમી દૂર છે.

રોડ માર્ગ

ગૌરીકુંડ એ મુખ્ય સ્થળ છે જ્યાંથી કેદારનાથ જવાનો પાકો રસ્તો સમાપ્ત થાય છે અને 14 કિમીની પગપાળા યાત્રા શરૂ કરવામાં આવે છે.

કેદારનાથના નજીકના જોવાલાયક સ્થળો

ગુપ્તકાશી, સોન પ્રયાગ, માઉન્ટ કેદારનાથ, ભૈરવ નાથ મંદિર, ગૌરીકુંડ,ઉખીમઠ, ચોપટા અને ગંગોત્રીએ કેદારનાથ ધામ નજીકના જોવાલાયક અન્ય સ્થળો છે.