ગુજરાત પ્રવાસન ક્ષેત્રે અગ્રેસર બની રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, અક્ષરધામ મંદિર, સાયન્સ સિટી, સિંહ દર્શન માટે ગીર અભ્યારણ સહિત પ્રવાસન સ્થળો પર્યટકોની પહેલી પસંદ છે.
કચ્છ સ્થિત ધોળાવીરા આધુનિક ભારતનું સૌથી પ્રવાસન ક્ષેત્રે સૌથી નવું મનોહર રત્ન છે. ધોળાવીરા ખાવડા માર્ગ પર્યટકો માટે સ્વર્ગીય અનુભવ કરાવનારો છે. જેને રોડ થ્રુ હેવન પણ કહે છે.
ગુજરાત પ્રવાસ કરો અને કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખો... સાચે જ યથાર્થ છે. પ્રાચીન સંસ્કૃતિ અને ધરોહર સમો કચ્છડો પ્રવાસ માટે બારેમાસ છે.
કચ્છ પ્રવાસની વાત કરીએ તો કચ્છનું સફેદ રણ, નારાયણ સરોવર, માતાનો મઢ, જેસલ તોરલ સમાધિ સહિત અનેક સ્થળ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર સમા છે.
કુદરતના ખોળે ફરવાના શોખીનો માટે ધોળાવીરા ખાવડા વચ્ચેનો 30 કિલોમીટરનો આ માર્ગ સાચે જ સ્વર્ગનો અહેસાસ કરાવનાર મનોહર અને રમણીય છે.
રોડ થ્રુ હેવન કહેવાતો આ માર્ગ પાણીની વચ્ચેથી પસાર થાય છે. બંને બાજુ દરિયાના બ્લ્યૂ પાણીથી નજારો એટલો અદભુત અને સુંદર લાગે છે કે મન પ્રફુલ્લિત થઇ જાય છે.
અહીંથી પસાર થતા હોય તો એવું લાગે કે જાણે આ કોઇ અલૌકિક સ્થળ છે. તમે ધરતી પર નહીં પરંતુ સ્વર્ગ લોકની સફરે છો.
આ સ્થળની મુલાકાત લેનારા પર્યટકો એટલે જ આ સ્થળને હેવન વે તરીકે ઓળખાવી રહ્યા છે. આ સફર સાચે જ યાદગાર છે.