અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનો પ્રારંભ, પીએમ મોદી રહ્યા હાજર
Source: BAPS
Dec 14, 2022
Ashish Goyal
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થયો છે.
Source: BAPS
પીએમ મોદી અને મહંતસ્વામીની નિશ્રામાં શાસ્ત્રોક્ત વિધિ અને પૂજાપાઠ કરીને રિબીન કાપીને મહોત્સવની શરૂઆત કરાઇ હતી.
Source: BAPS
14 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી 2023 દરમિયાન એક મહિના માટે ભવ્ય ઉત્સવ ધામધૂમથી ભક્તિભાવપૂર્વક ઊજવાશે.
Source: BAPS
આ જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે અમદાવાદના રિંગ રોડ પર ઓગણજ-ભાડજ પાસે 600 એકરની વિશાળ ભૂમિમાં મહોત્સવ સ્થળ પ્રમુખસ્વામી મહારાજ નગર ઉભું કરવામાં આવ્યું છે.
Source: BAPS
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં PM મોદીએ પરિભ્રમણ કર્યું હતું. પ્રમુખ સ્વામીની મૂર્તિના ચરણોમાં વંદન કર્યું હતું.
Source: BAPS
આ નગરમાં અદભૂત ઝાંખીઓ ઉભી કરાઈ છે જ્યાં આઝાદીના અમૃત મહોત્સવના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું છે.
Source: BAPS
PM મોદીએ પ્રમુખ સ્વામીનગરીમાં તૈયાર કરાયેલી અક્ષરધામ પ્રતિકૃતિની પરિક્રમા કરી હતી.