May 16, 2025

ગુજરાતમાં રહેતા લોકોએ આ 10 સ્થળ અચૂક જોવા જ જોઇએ

Ajay Saroya

ગુજરાત પ્રવાસ

ગુજરાતના લોકો ફરવાના બહુ શોખીન છે. ગુજરાતમાં ઘણા જોવાલાયક સ્થળો છે. જો તમે ગુજરાતમાં રહો છો તો તમારે આ પ્રખ્યાત સ્થળોની મુલાકાત લેવ જ જોઇએ.

Source: freepik

સ્ટેચ્યુ ઓફ યુનિટી

સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલું પ્રખ્યાત પ્રવાસ સ્થળ છે. અહીં ભારતના સ્વતંત્રતા સેનાની સરદાર વલ્લભભાઇ પટેલની 182 મીટર ઉંચાઇ ધરાવતી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે. નર્મદા ડેમની સામે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જોવાલાયક ઘણા સ્થળો છે.

Source: social-media

સોમનાથ મંદિર

ગુજરાતનું સોમનાથ મંદિર ભગવાન શંકરના 12 જ્યોર્તિલિંગ મંદિરોમાં પ્રથમ છે. દરિયા કિનારે પ્રભાસ પાટણ વિસ્તારમાં સ્થિત સોમનાથ મંદિરની સ્થાપના ચંદ્ર દેવે કરી હોવાનું મનાય છે. ગીરનાથ તળિયેથી અંબાજી મંદિર સુધી રોપવેની સુવિધા ઉપલબ્ધ છે.

Source: social-media

દ્વારકાધીશ મંદિર

દ્વારકાધીશ મંદિર ભગવાન કૃષ્ણને સમર્પિત મંદિર છે. 7 માળ અને 60 સ્તંભો પર અડીખમ મૂળ જગત મંદિરનું નિર્માણ શ્રીકૃષ્ણના પૌત્ર વજ્રનાભે કરાવ્યું હતું. હાલનું મંદિર 16મી સદીનું છે. મંદિરમાં શ્યામ પાષમની ભગવાન શ્રીકૃષ્ણની ચતુર્ભુજ મૂર્તિના દર્શન થાય છે.

Source: social-media

ગીરનાર

ગુજરાતનું સૌથી ઉંચો પર્વત ગીરનાર તીર્થધામ છે. ગિરનાર પર્વતની ઉંચાઇ 3672 ફુટ છે. 9999 પગથિયાં ચઢીને ગુરુ દત્તાત્રેય મંદિર સુધી પહોંચી શકાય છે. ગીરનાર પર્વત પર ગુરુ શિખર, અંબાજી મંદિર સહિત ઘણા પ્રાચીન મંદિરો અને જૈન દેરાસરો આવેલા છે.

Source: social-media

પોળોના જંગલ

પોળોના જંગલ ગુજરાતના સાબરકાંઠામાં આવેલું એક સ્થળ છે જ્યાં પ્રવાસીઓ કુદરતી સુંદરતા અને ટ્રેકિંગ કેમ્પિંગનો આનંદ માણી શકે છે. હરણાવ નદી કિનારે આવેલ પોળોના જંગલમાં ઘણા પ્રાચીન મંદિો, શિલાલેખ, વન્ય પશુ પ્રાણીઓ જોવાનો આનંદ માણે છે.

Source: social-media

પાવાગઢ મહાકાળી મંદિર

પંચમહાલ જિલ્લામાં આવેલું પાવાગઢ મહાકાળી મંદિર 52 શક્તિપીઠમાં સામેલ છે. અહીં દેવી સતીનો અંગુઠો પડ્યો હોવાનું મનાય છે. 822 મીટર ઉંચા પાવાગઢ પર્વતની ટોચ પર મહાકાળી માતાજીના શિખર સુધી પહોંચવા આશરે 1500 પગથિયા ચડવા પડે છે. દર્શનાર્થીઓની સુવિધા માટે રોપવે સુવિધા પણ છે.

Source: social-media

સાપુતારા હિલ સ્ટેશન

ડાંગમાં આવેલું સાપુતારા ગુજરાતનું એક માત્ર હિલ સ્ટેશન છે. સહ્યાદી પર્વતમાળામાં વસેલા સાપુતારા હિલ સ્ટેશન પર ઉનાળામાં તાપમાન નીચું રહે છે અને ચોમાસાના વરસાદ બાદ સોળે કળાએ ખીલી ઉઠે છે.

Source: social-media

કચ્છ રણોત્સવ

કચ્છનું રણ ગુજરાતનું વિશિષ્ટ ભૌગોલિક સ્થળ છે. કચ્છમાં દર વર્ષે શિયાળામાં રણોત્સવ યોજાય છે, જેમા સફેદ મીઠાના કણથી બનેલા સફેદ રણનો સુંદર નજારો અને કચ્છના લોકજીવન સંસ્કૃતિને પ્રવાસીઓ નજીકથી નિહાળે છે.

Source: social-media

અડાલજ વાવ

ગાંધનગર અડાલજ વાવ 500 વર્ષ જૂનું ઐતિહાસિક સ્થાપિત છે, જે યુનેસ્કો હેરિટેજ યાદીમાં સામેલ છે. 5 માળ ઉંડી અડાલજ વાવનું નિર્માણ રૂડીબાઇએ પતિની યાદીમાં 5 લાખ રૂપિયાના ખર્ચે કરાવ્યું હતું. સુંદર કોતરણી અને મજબૂત બાંધકામ ધરાવતી અડાલજ વાવ ભારત સરકાર દ્વારા સુરક્ષિત સ્થળ છે.

Source: social-media

Source: social-media