Jun 16, 2024
બાઇક અને એક્ટિવ મોટાભાગના લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા ટુ વ્હીલર છે. ચોમાસાના વરસાદમાં ટુ વ્હીલર ચલાવવું બહુ મુશ્કેલ હોય છે.
ચોમાસાના વરસાદમાં ટુ વ્હીલર સ્લીપ થવાનું કે બંધ થવાનું જોખમ રહે છે. વરસાદમાં ટુ વ્હીકલ લઇ જવાની પહેલા અમુક બાબતનું ધ્યાન રાખવાથી બાઇક અને એક્ટિવા બંધ થવાનું જોખમ રહેતું નથી.
ટાયર કોઇ પર વાહનનો મહત્વનો પાર્ટસ છે. ટાયરની કન્ડિશન સારી હશે તો બાઇક સ્પીડમાં સારી રીતે દોડશે. જો ટાયર વધુ ધસાયેલા હશે તો ગ્રીપ આવશે નહીં, પરિણામ બાઇક સ્લીપ થવાનું જોખમ રહે છે. આથી જો બાઇકના ટાયર વધારે જૂના કે ઘસાઇ ગયા હોય તો સત્વરે બદલાવી લેવા જોઇએ.
ટાયરનું પ્રેશર બરાબર હશે તો ટુ વ્હીલર બરાબર દોડશે. ચોમાસું હોય કે શિયાળો - ઉનાળો હંમેશા વાહનમાં એર પ્રેશર બરાબર રાખવું જોઇએ. સમયાંત્તર ટાયર પ્રેશર ચેક કરાવો. જો એર પ્રેશર બરાબર નહીં હોય તો ટાયરને વધારે ઘસારો લાગશે.
મોટાભાગના લોકો એન્જિનના સ્પાર્ક પ્લગ ચેક કરતા નથી. હકીકતમાં 1500 થી 2000 કિમી ડ્રાઇવ કર્યા બાદ સ્પાર્ક પ્લગ બદલી નાંખો જોઇએ. ઘણી વખત સ્પાર્ક પ્લગમાં કાર્બન જમા થવાથી એન્જિન સ્ટાર્ટ થતુ નથી. દર 300 થી 500 કિમી ડ્રાઇવ કર્યા બાદ સ્પાર્ક પ્લગ સાફ કરો. સંભવ હોય તો એક એક્સ્ટ્રા પ્લગ સાથે રાખવો.
બાઇકના એર ફિલ્ટરને નજર અંદાજ કરવું મોંઘું પડી શકે છે. જો બાઇક વધારે ચાલતી હોય તો એર ફિલ્ટર સૌથી વધુ ગંદુ અને ખરાબ થાય છે. આથી સમયાંત્તર એર ફિલ્ટરની સફાઇ કરવી જોઇએ અને જરૂર પડે તો બદલી નાંખવું જોઇએ, જેથી બ્રેક ડાઉનની સમસ્યા ન સર્જાય.
બાઇકનું એન્જિન ઓઇલ સમયાંતરે ચેન્જ કરાવી લેવું જોઇએ. સામાન્ય રીતે 1500થી 2000 કિમી ચાલ્યા બાદ એન્જિન ઓઇલ ચેન્જ કરાવી લેવું જોઇએ. એન્જિન ઓઇલ ચેન્જ કરાવવીથી એન્જિનની કાર્યક્ષમતા સુધરે છે.
ચોમાસાના વરસાદમાં બાઇકને સુરક્ષિત રાખવાનો સરળ ઉપાય છે વોટરપ્રફુ કવર. વરસાદમાં પલળવાથી બાઇકમાં ખામી સર્જાવાનું જોખમ રહે છે. આથી ચોમાસમાં બાઇકને ખુલ્લી જગ્યામાં પાર્ક કરવાના બદલે શેડ વાળી જગ્યામાં પાર્ક કરવી સાથે સાથે વોટરપ્રુફ કવર વડે ઢાંકી દો.
વરસાદ શરૂ થાય તેની પહેલા જ ટુ વ્હીલરની સર્વિસ કરાવી લેવી જોઇએ. સર્વિસમાં બાઇકની હેડ લાઇટ અને સાઇડ લાઇટ પર બરાબર કામ કરે છે કે તે ચેક કરાવી જોઇએ. આ સાથે જ બાઇકમાં વાયરિંગ બરાબર છે કે તે પણ ચકાસી લો. ઉપરાંત બેટરી ફુલ ચાર્જ છે કે નહીં તે તપાસ કરાવી લો. જરૂર પડે તો નવી બેટરી લગાવી દો.
ચોમાસાના વરસાદમાં સાવધાની પૂર્વક બાઇક ચલાવવી જોઇએ. જો રોડ રસ્તા પર પાણી ભરાઇ ગયા હોય તો બાઇક ચલાવવાનું જોખમ લેવું જોઇએ નહીં. ઉંડા પાણીમાં ગાડી ચલાવવાથી એન્જિનમાં પાણી ધુસવાનું જોખમ રહે છે અને વાહન બંધ થવાની શક્યતા રહે છે.
હેલ્મેટ ટુ વ્હીલર ચલાવતી વખતે જરૂર પહેરવું જોઇએ. અકસ્માત દરમિયાન હેલ્મેટ જીંદગી બચાવી શકે છે. આથી ચોમાસામાં બાઇક ચલાવતી વખતે હેલ્મેટ જરૂર પહેરો. તેમજ હેલ્મેટના વાઇઝર ખરાબ થઇ જાય હોય, ઝાંખુ દેખાતુ હોય કે સ્ક્રેચ પડી ગયા હોય તો બદલાવી લો.