May 29, 2025
મોટાભાગના ઘરોમાં ઘડિયાળ હોય છે. પરંતુ મોટાભાગના લોકોને ઘડિયાળ વિશેની વાસ્તુ બાબતો જાણતા નથી હોતા.
ઘડિયાળને લગતી વાસ્તુ બાબતોની ક્યારેય અવગણના ન કરવી જોઈએ. નહીં તો કંગાળની સ્થિતિ પણ બની શકે છે.
ઘડિયાળને યોગ્ય વાસ્તુ પ્રમાણે ન રાખીએ તો સકારાત્મક્તા ખતમ થાય છે અને આર્થિક તંગી આવે છે.
વાસુશાસ્ત્રુ પ્રમાણે ઘડિયાળ ગોળ કે લંબગોળ આકારની ઘડિયાળ રાખવી. જેનાથી સકારાત્મક અસર થાય છે.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં ઉત્તર પૂર્વ દિશામાં જ ઘડિયાળને રાખવી જોઈએ. ઘરમાં આર્થિક શાંતિ બની રહે છે.
દક્ષિણ દિશામાં ક્યારેય ઘડિયાળ ન લગાવવી. દક્ષિણ દિશામાં ઘડિયાળ લગાવવાથી વેપાર ધંધામાં મુશ્કેલીઓ આવે છે.
ઘડિયાળ હંમેશા હલકા રંગની હોવી જોઈએ. વાદળી કે કાળા રંગની ઘડિયાળ લાવવાથી બચવું જોઈએ.
જો ઘરમાં ઘડિયાળ બંધ પડી ગઈ હોય તો ફટાફટ ચાલું કરાવી દેવી. બંધ ઘડિયાળના કારણે ઘરમાં અડચણો આવે છે.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં એક જ ઘડિયાળ રાખવી. એક કરતા વધારે ઘડિયાળ રાખવાથી ઘરની તમામ સ્થિતિ ઉપર અસર પડે છે.