ધનતેરસના દિવસે ધન મેળવવા માટે મુખ્ય દરવાજા પર રાખો આ 5 વસ્તુઓ
Oct 19, 2022
Ashish Goyal
ધનતેરસ સાથે દિવાળીનો પર્વ શરૂ થઇ જાય છે. આ વખતે ધનતેરસ 22 ઓક્ટોબરે મનાવવામાં આવશે. આ ખાસ દિવસે વાસ્તુ શાસ્ત્રમાં બતાવેલા કેટલાક ઉપાયો અવશ્ય કરે.
ધનતેરસના દિવસે મુખ્ય દ્વાર પર બન્ને તરફ સ્વસ્તિક અવશ્ય કરે. આને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે અને આ બનાવવાથી મા લક્ષ્મીનું આગમન થાય છે.
ધનતેરસથી લઇને ભાઇબીજ સુધી ઘરના મુખ્ય દ્વાર પર આસોપાલવ કે બીજા તોરણ અવશ્ય લગાવો. તેનાથી માતા લક્ષ્મી પ્રશન્ન થઇને ઘરમાં આગમન કરે છે.
ધનતેરસના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર માતા લક્ષ્મીના પ્રતિકાત્મક પગલાં જરૂર લગાવો. ધ્યાન રહે કે મુખ્ય દ્વારમાં માતા લક્ષ્મીના એવી રીતે પગલા લગાવો કે બહારથી અંદર જતા હોય તેમ લાગવા જોઈએ.
ધનતેરસના દિવસથી જ રોજ મુખ્ય દ્વારની જમણી તરફ ઘી નો દિવો અવશ્ય કરે. તેને બહાર તરફ મુખ કરીને રાખે.
ઘરના મુખ્યદ્વારમાં ચોખ્ખો કરીને મની પ્લાન્ટ અવશ્ય રાખવો જોઈએ.
મની પ્લાન્ટને ધનતેરસના દિવસે સવારથી લઇને સાંજ સુધી બહાર રાખે. આ પછી ઘરની અંદર રાખી દે.