શનિ જ્યંતીના દિવસે બિલકુલ પણ ન ખરીદો આ ચીજો 

May 16, 2023

Ankit Patel

હિન્દુ પંચાક અનુસાર જેઠ મહિનાની અમાસના દિવસે શનિદેવનો જન્મ થયો હતો. આ દિવસને શનિ જ્યંતિના રૂપમાં ઉજવવામાં આવે છે.

માન્યતા છે કે આ દિવસે શનિદેવની વિધિવત પૂજા કરવાની સાથે ખાસ ઉપાય કરવાથી સનિની સાડેસાતી અને પનોતીથી મુક્તિ મળી જશે.

શનિ જ્યંતિ કે શનિવારના દિવસે આ ચીજો ખરીદવાથી શનિદેવ રોષે ભરાય છે 

શાસ્ત્રો અનુસાર લોખંડની ચીજો શનિદેવને સંબંધિત હોય છે. એટલા માટે શનિ જ્યંતિના દિવસે લોખંડ સંબંધિ ચીજો ખરીદવી જોઇએ નહીં અને ઘરે લાવવી ન જોઈએ. આવું કરવાથી શનિ દેવ રોષે ભરાય છે. 

લોખંડની વસ્તુઓ

શનિવાર અથવા શનિ જ્યંતિના દિવસે મીઠું ન ખરીદવું જોઈએ. માન્યતા છે કે આ દિવસે મીઠું ખરીદવાથી દેવું વધી શકે છે. આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડી શકે છે.

મીઠું

શનિ જ્યંતિના દિવસે કાળા રંગના જૂત્તા બિલ્કુલ ખરીદવા જોઇએ નહીં. આવું કરવાથી વ્યક્તિને દરેક ક્ષેત્રમાં નિષ્ફળતા મળે છે.

કાળા જૂત્તા

ભગવાન શનિદેવને કાળા તલ ચઢાવવા શુભ માનવામાં આવે છે. પરંતુ શનિ જ્યંતિના દિવસે બિલ્કુલ પણ ખરીદવા ન જોઇએ.આવું કરવાથી વ્યક્તિને કોઇના કોઇ કામમાં અડચણ આવે છે.

કાળા તલ

શનિ જ્યંતિ અને શનિવારના દિવસે સરસવનું તેલ ખરીદવું ન જોઇએ. માનવામાં આવે છે કેઆ દિવસે સરસવનું તેલ ખરીદવાથી ઘરમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે છે. 

સરસવનું તેલ

શનિ જ્યંતિ અને શનિવારના દિવસે સરસવનું તેલ ખરીદવું ન જોઇએ. માનવામાં આવે છે કેઆ દિવસે સરસવનું તેલ ખરીદવાથી ઘરમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે છે. 

સરસવનું તેલ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ચીજો ઉપરાંત કાળા રંગના કપડા, કોલસો, કાજલ, કાળી અડદની દાળ પણ ન ખરીદવી જોઈએ.

અન્ય વસ્તુઓ