Apr 15, 2024
અયોધ્યાના રામમંદિરમાં રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠા બાદ લાખો ભક્તો દર્શન કરવા જઇ રહ્યા છે.
અયોધ્યા રામમંદિરમાં 22 જાન્યુઆરી, 2024ના રોજ રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
મધ્યપ્રદેશના ઓરછામાં પ્રભુ રામ રાજા તરીકે પૂજા છે. આથી તેને રાજા રામ મંદિર કહેવાય છે. પ્રસિદ્ધ રામ મંદિર આવેલું છે. લગભગ 500 વર્ષ જૂના આ રામ મંદિરને મિની અયોધ્યા કહેવામાં આવે છે.
તેલંગાણાનું સીતા રામચંદ્રસ્વામી મંદિર દક્ષિણ ભારતનું પ્રસિદ્ધ રામ મંદિર છે. આ મંદિરનો સંબંધ રામાયણ સાથે.
તમિલનાડુનું રામાસ્વામી મંદિર 400 વર્ષ પહેલા રાજા રઘુનાથ નાયકરે બંધાવ્યુ હતુ. આ મંદિર રામાયણના ચિત્રો દર્શાવે છે અને તેના સ્તંભો પર સુંદર કોતરણીથી સુશોભિત છે.
કાલારામ મંદિર છે ત્યારે રામ ભગવાન વનવાસ દરમિયાન રહેતા હતા. અહીં રામ સીતા અને લક્ષ્મણની કાળા પાષાણની 2 ફૂટ ઉંચી મૂર્તિ છે.
થ્રીપ્રયાર મંદિરની દંતકથા મુજબ અહીં ભગવાન કૃષ્ણે શ્રી રામની મૂર્તિની પૂજા કરતા હતા. ભગવાન શ્રીકૃષ્ણના સ્વર્ગારોહણ બાદ મૂર્તિનું સમુદ્રમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. પાછળથી કેરળના ચેટ્ટુવા પ્રદેશ નજીક દરિયામાંથી કેટલાક માછીમારોને આ મૂર્તિ મળી અને તેની સ્થાપના કરવામાં આવી હતી.
ભુવનેશ્વર શહેરમાં મધ્યમાં સ્થિત ભગવાન રામના ભક્તો માટે સૌથી પ્રખ્યાત મંદિર પૈકીનું એક છે. અહીં શ્રીરામ, સીતા અને લક્ષ્મણની સુંદર મૂર્તિ બિરાજમાન છે.
કડંદરામ મંદિરના ગર્ભગૃહમાં રામ, લક્ષ્મણ અને સીતાની પ્રતિમા હનુમાનના ખંભા પર બિરાજમાન છે, જે શિખર પર છે. આ મંદિરમાં સીતાજી ભગવાન રામના જમણી બાજુ છે, જે તેને વિશિષ્ટ મંદિર બનાવે છે.
શ્રીરામ તીર્થ મંદિર તે સ્થાન છે જ્યાં દેવી સીતા ઋષિ વાલ્મીકિના આશ્રમમાં રહેતા હતા. અહીં જ લવ અને કુશનો જન્મ થયો હતો. અહીં સીડીઓ સાથેનો એક કૂવો છે જ્યાં દેવી સીતા સ્નાન કરતા હતા.
જમ્મુનું રઘુનાથ મંદિર ઉત્તર ભારતનું પ્રખ્યાત મંદિર છે, જેનું નિર્માણ મહારાજા ગુલાબ સિંહ અને પુત્ર મહારાજ રણબીર સિંહ દ્વારા 1853 થી 1860 દરમિયાન કરવામાં આવ્યું હતું.
આ મંદિરનો ઇતિહાસ રામાયણ સાથે જોડાયેલો છે. રામાયણ અનુસાર શ્રીરામના દર્શન કર્યા બાદ એક પથ્થર સ્ત્રી બની ગઇ હતી.