અમદાવાદનું મીની સોમનાથ મંદિર, પ્રકૃતિના ખોળે શિવ ભક્તિ

Jul 22, 2025, 05:45 PM

શ્રાવણ 2025

શ્રાવણ માસમાં શંકર ભગવાનની પૂજા અને દર્શન કરવાનું મહાત્મ્ય હોય છે. અમદાવાદમાં ભગવાન શંકરના ઘણા મંદિરો આવે છે.

અમદાવાદ મીની સોમનાથ મંદિર

અમદાવાદમાં સાબરમતી નદી કિનારે મીની સોમનાથ મંદિર આવેલું છે. આ શિવાલયનું સ્થાપત્ય આબેહુબ પ્રભાસના સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર જેવું છે.

મીની સોમનાથ મંદિર ક્યા છે?

અમદાવાદના મીની સોમનાથ મંદિર નામે પ્રખ્યાત આ શિવાલયનું સાચું નામ કોટેશ્વર મહાદેવ મંદિર છે. આ મંદિર અમદાવાદના મોટેરા વિસ્તારમાં સાબરમતી નદી કિનારે આવેલું છે.

પ્રકૃતિના ખોળે ભક્તિ

મીની સોમનાથ મંદિર સાબરમતીના કિનારે આવેલું છે. શિવ મંદિરની આસપાસ શાંત નદી કિનારો, હરિયાળી, પક્ષીઓનો કલરવ ભક્તોના મનને શાંતિ આપે છે.

શ્રાવણમાં સોમનાથ મંદિરના દર્શન

અમદાવાદના પ્રખ્યાત શિવ મંદિરમા શ્રાવણ માસ, મહાશિવરાત્રી, સોમવાર, શનિવાર અને રવિવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે.

શિવ મંદિરમાં બે નંદી

મીની સોમનાથ મંદિરમાં 2 નંદી છે, જેમા 1 શ્વેત નંદી અને 1 શ્યામ નંદીની મૂર્તિ છે.

નિયમિત લઘુરુદ્ર પાઠ

અમદાવાદના મીની સોમનાથ મંદિરમાં દરરોજ લઘુરુદ્રપાઠાત્મક થાય છે, જે મંદિરના વાતાવરણને ઉર્જાવાન રાખે છે.

મીની સોમનાથ મંદિરની મુલાકાત

મીની સોમનાથ મંદિરની જમણી બાજુ રામલક્ષ્મણજાનકી અને ડાબુ બાજુ ધોલેશ્વર મહાદેવ બિરાજમાન છે. મંદિરમાં ચાલતી શિવધૂન વાતાવરણને ભક્તિમય બનાવે છે.