Ram Temple : રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની દુનિયાભરમાં ચર્ચા, વિદેશ આવી ભેટો

Jan 22, 2024, 12:34 PM

આજે એટલે કે 22 જાન્યુઆરીએ બપોરે  અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ટા મહોત્સવ યોજાશે. આ પ્રસંગે દેશભરમાં ઉત્સાહનો માહોલ છે.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ટાના આ અવસર નિમિતે વિશ્વના ઘણા દેશોમાંથી ખાસ ભેટ મોકલવામાં આવી છે.

રામમંદિરમાં રામલલ્લાની મૂર્તિના અભિષેક માટે અફઘાનિસ્તાન તરફથી ભેટ તરીકે ખાસ પાણી પણ આવ્યું છે.

અયોધ્યામાં રામ મંદિર માટે અફઘાનિસ્તાનની કુભા (કાબુલ) નદીનું પાણી ભેટ તરીકે મોકલવામાં આવ્યું છે.

રામ મંદિરના અભિષેક માટે ભારતના પાડોશી દેશ નેપાળમાંથી પણ ઘરેણાં અને કપડા સહિત 3,000 થી વધુ ભેટો આવી છે. જયારે નેપાળમાં જનકપુર રામની પત્ની સીતાનું જન્મસ્થળ માનવામાં આવે છે.

નેપાળથી લાવવામાં આવેલી ભેટોમાં સંભારણું સોના અને ચાંદીની વસ્તુઓ, ફર્નિચર, કપડાં, ફળો, સૌંદર્ય પ્રસાધનો અને ઘણા સ્વાદિષ્ટ ખોરાકનો સમાવેશ થાય છે.

જાનકી મંદિર, જનકપુરના મહંત રામ રોશન દાસ દ્વારા શ્રી રામજન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયને સુંદર રીતે સુશોભિત સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યું હતું.

રામ ભગવાન 14 વર્ષના વનવાસ દરમિયાન આ ખાસ ફળ ખાતા, જાણો ફાયદા

અમેરિકામાં પણ અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રસ્તાઓ પર રામના ચિત્રોવાળા વિશાળ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે.

રામ ભગવાન 14 વર્ષના વનવાસ દરમિયાન આ ખાસ ફળ ખાતા, જાણો ફાયદા