હિન્દુ ધર્મમાં તુલસીના છોડને પૂજનીય માનવામાં આવે છે. આમાં નિયમિત જળ ચઢાવવાથી ઘરમાં સુખ-શાંતિનો વાસ રહે છે

Jun 13, 2024, 10:48 AM

લક્ષ્મી માતાનો થાય છે વાસ

શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે તુલસીના છોડમાં ધનની દેવી લક્ષ્મીનો વાસ હોય છે. જેના કારણે આ છોડની પૂજાનું ખાસ મહત્વ હોય છે.

દૂધ યુક્ત પાણી

કેટલાક લોકો તુવસીના છોડને દૂધ યુક્ત જળ ચઢાવે છે. જોકે જ્યોતિષના જાણકાર આવું ન કરવાની સલાહ આપે છે.

તુલસીનો છોડ સુકાઈ જાય છે

જો તમે પાણીમાં દૂધ મિલાવીને તુલસી પર ચઢાવો છો તો તુસલીનો છોડ સુકાઈ જાય છે. આ પણ એક મુખ્ય કારણ છે કે દૂધ યુક્ત જળ ન ચઢાવવું જોઈએ.

ઘરમાં કંકાસ રહે છે

ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલસીના છોડને દૂધ યુક્ત પાણી ચઢાવવાથી ઘરમાં કંકાસનો માહોલ રહે છે. પતિ-પત્નીના સંબંધોમાં તણાવ પૈદા થાય છે.

માત્ર શુદ્ધ જળ અર્પણ કરો

તુલસીના છોડને માત્ર શુદ્ધ અને ચોખ્ખું જળ અર્પણ કરવું જોઈએ. જો તમે તુલસીના છોડની સારી રીતે સંભાળ નહીં રોખો તો તમે પાપમાં પડશો.

ધનની દેવી થશે નારાજ

તુલસીના છોડ સાથે જોડાયેલી ભૂલો કરવાના કારણે લક્ષ્મી માતા નારાજ થાય છે. માતા લક્ષ્મી નારાજ થવાની વ્યક્તિને ધનના નુકસાનનો સામનો કરવો પડી શકે છે.

ડિસ્ક્લેમર

આ લેખમાં આપેલી જાણકારી લોક અને ધાર્મિક માન્યતાઓ ઉપર આધારિત છે. અમારા તરફથી આની પુષ્ટી કરવામાં આવતી નથી.