Jun 13, 2024

Tulsi Vastu : તમે તુલસી પર દૂધવાળું જળ ઢાવો છો? તો સાવધાન થશે નુકસાન

Ankit Patel

લક્ષ્મી માતાનો થાય છે વાસ

શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે તુલસીના છોડમાં ધનની દેવી લક્ષ્મીનો વાસ હોય છે. જેના કારણે આ છોડની પૂજાનું ખાસ મહત્વ હોય છે.

Source: iegujarati

દૂધ યુક્ત પાણી

કેટલાક લોકો તુવસીના છોડને દૂધ યુક્ત જળ ચઢાવે છે. જોકે જ્યોતિષના જાણકાર આવું ન કરવાની સલાહ આપે છે.

Source: iegujarati

તુલસીનો છોડ સુકાઈ જાય છે

જો તમે પાણીમાં દૂધ મિલાવીને તુલસી પર ચઢાવો છો તો તુસલીનો છોડ સુકાઈ જાય છે. આ પણ એક મુખ્ય કારણ છે કે દૂધ યુક્ત જળ ન ચઢાવવું જોઈએ.

Source: iegujarati

ઘરમાં કંકાસ રહે છે

ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલસીના છોડને દૂધ યુક્ત પાણી ચઢાવવાથી ઘરમાં કંકાસનો માહોલ રહે છે. પતિ-પત્નીના સંબંધોમાં તણાવ પૈદા થાય છે.

Source: iegujarati

માત્ર શુદ્ધ જળ અર્પણ કરો

તુલસીના છોડને માત્ર શુદ્ધ અને ચોખ્ખું જળ અર્પણ કરવું જોઈએ. જો તમે તુલસીના છોડની સારી રીતે સંભાળ નહીં રોખો તો તમે પાપમાં પડશો.

Source: iegujarati

ધનની દેવી થશે નારાજ

તુલસીના છોડ સાથે જોડાયેલી ભૂલો કરવાના કારણે લક્ષ્મી માતા નારાજ થાય છે. માતા લક્ષ્મી નારાજ થવાની વ્યક્તિને ધનના નુકસાનનો સામનો કરવો પડી શકે છે.

Source: iegujarati

ડિસ્ક્લેમર

આ લેખમાં આપેલી જાણકારી લોક અને ધાર્મિક માન્યતાઓ ઉપર આધારિત છે. અમારા તરફથી આની પુષ્ટી કરવામાં આવતી નથી.

Source: iegujarati