પૌરાણિક કથાઓ અનુસાર દેવી સરસ્વતીનો જન્મ મહા મહિનાના સુદ પાંચમની તિથિએ એટલે કે વસંત પંચમીએ થયો હતો. તેથી, આ પવિત્ર દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાનું ખૂબ મહત્વ છે.

Jan 31, 2025, 02:34 PM

વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવાની સાથે કેટલાક વિશેષ મંત્રોનો જાપ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવું કરવાથી માતા સરસ્વતી પ્રસન્ન થાય છે.

અને કરિયરમાં આવતા અવરોધો દૂર થાય છે. સુખ, સમૃદ્ધિ અને સફળતા આપે છે. ચાલો જાણીએ માતા સરસ્વતીના મંત્રો.

વસંત પંચમી તિથિનો પ્રારંભ 02 ફેબ્રુઆરી 2025 સવારે 09:14 વાગ્યેથી થાય છે જ્યારે સમાપ્ત 03 ફેબ્રુઆરી 2025 સવારે 06:52 વાગ્યે થાય છે.

સરસ્વતી સરળ મંત્ર

વસંત પંચમીના દિવસે માતા સરસ્વતી વચ્ચે મંત્ર ક્લીંનો જાપ કરી શકો છો

ઓમ શારદા માતા ઈશ્વરી મેં નિત સુમરિ તોય હાથ જોડ અરજી કરૂં વિદ્યા વર દે મોય

ઓમ વાગદૈવ્યૈ ચ વિહ્મહે કામરાજાય ધીમહિ, તન્નો દેવી પ્રચોદયા

ઓમ એં સરસ્વત્યૈ નમઃ

સરસ્વતિ નમસ્તુભ્યં વરદે કામરુપિણિ, વિદ્યારમ્ભં કરિષ્ણામિ સિદ્ધિર્ભવતુ મે સદા

સરસ્વતી ધ્યાન મંત્ર

ઓમ સરસ્વતી મયા દષ્ટ્રા, વીણા પુસ્તક ધારણીમ્ હંસ વાહિની સમાયુક્તા માં વિદ્યા દાન કરોતુ મેં ઓમ

આ તમામ મંત્રો જ્ઞાનની દેવી માતા સરસ્વતીના આશીર્વાદ મેળવવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ મંત્રોના જાપ કરવાથી માતા સરસ્વતી પ્રસન્ન થાય છે.