Nov 27, 2024

Vastu Tips: વાસ્તુ મુજબ ઘડિયાળ આ દિશામાં લગાવો, ખરાબ સમય નહીં આવે

Ajay Saroya

ઘર માટે વાસ્તુ ટીપ્સ

વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં દરેક વસ્તુ રાખવા માટે ચોક્કસ દિશા વિશે જાણકારી આપવામાં આવી છે. ચોક્કસ દિશામાં ચોક્કસ વસ્તુ રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને સંપતિ આવે છે. જો વાસ્તુ દોષ હોય તો જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

Source: freepik

ઘડિયાળ માટે વાસ્તુ ટીપ્સ

વાસ્તુ શાસ્ત્રમાં ઘડિયાળ લગાવવા માટે જણાંવવામાં આવ્યું છે. યોગ્ય દિશામાં ઘડિયાળ લગાવવાથી ઘડિયાળના કાંટ સાથે વ્યક્તિનો સમય બદલાઇ શકે છે. જો વિપરીત દિશામાં ઘડિયાળ લગાવી હશે તો પડતીનો સમય પણ જોવો પડી શકે છે.

Source: freepik

ઘડિયાળ આ દિશામાં લગાવવી અશુભ

ઘડિયાળ ઘરની દક્ષિણ દિશામાં ભૂલથી પણ લગાવવી જોઈએ નહીં. દક્ષિણ દિશા યમની દિશા માનવામાં આવે છે. ઘડિયાળ દક્ષિણ દિશામાં લગાવવાથી ઘરમાં બીમારી અને આર્થિક તંગી આવી શકે છે.

Source: freepik

ઘડિયાળ કઇ દિશામાાં લગાવવી?

વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરની ઉત્તર અને પૂર્વ દિશામાં ઘડિયાળ લગાવવી શુભ હોય છે. કારણ કે ઉત્તર દિશામાં કુબેર દેવ રાજ કરે છે અને પૂર્વ દિશામાં બધા દેવી દેવતા બિરાજમાન હોય છે.

Source: freepik

ઘડિયાળ લગાવવા આ દિશા શુભ

ઘડિયાળ માટે ઉત્તર અને પૂર્વ દિશા શુભ હોય છે. આ દિશામાં ઘડિયાળ લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે. આવક અને કમાણીના નવા માર્ગ ખુલે છે.

Source: freepik