Oct 26, 2022
Ankit Patel
નોકરી કે ધંધાના કાર્ય સ્થળ પછી સૌથી વધુ સમય આપણે બેડરૂમમાં પસાર કરીએ છીએ એટલે પણ એનું મહત્વ વધી જાય છે.
બેડરૂમમાં વાસ્તુ અને સકારાત્મક ઉર્જાનું હોવું અતિ જરૂરી બની જાય છે. વાસ્તુ સાથે સકારાત્મક ઉર્જાનો પણ વધારો થવો જરૂરી છે
અરીસો કે ટેલિવિઝન ક્યારેય પલંગની સામે ન હોવું જોઇએ. તેનાથી ઘરકંકાસ વધી શકે છે.
લગ્નજીવને મધુર બનાવી રાખવા માટે બેડરૂમમાં મંદિર કે પૂજાની કોઇ જગ્યા ન હોવી જોઇએ
બેડરૂમ નૈઋત્ય દિશામાં હોવો જોઇએ તેમજ દક્ષિણ પશ્વિમ દિશામાં પલંગ હોવો જોઇએ.
બેડરૂમમાં દરવાજા તરફ માથું રાખી સુવું જોઇએ નહીં, જેનાથી ખરાવ સ્વપ્નો આવી શકે છે.
બેડરૂમ ઇશાન દિશામાં રાખવો ઉચીત નથી. જેનાથી લગ્નજીવન અને સ્વાસ્થ્ય સંબંધી તકલીફ થઇ શકે
દક્ષિણ પૂર્વનો બેડરૂમ ઝઘડાનું કારણ બની શકે છે. નૈઋત્ય દિશામાં બેડરૂમ યોગ્ય છે.