ઘરમાં વાસ્તુશાસ્ત્ર ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સાથે જ વાસ્તુશાસ્ત્રની અસર દૈનિક જીવન પર પડે છે.
ઘરનેને હંમેશા વાસ્તુશાસ્ત્રની દિશાઓ પ્રમાણે જ બનાવવું જોઈએ. આમ બનાવવા માટે અનેક નિયમોનું પાલન કરવું પડે છે.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો તમારા ઘરના રસોડામાં વારંવાર ચીજો પડી જાય છે. અથવા આવી ભૂલો સતત કરી રહ્યા છો તો તમને ભારે પડી શકે છે.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે રસોડામાં દૂધ ઢળવું અશુભ માનવામાં આવે છે. જો આવું દિવસમાં એક, બે કે ત્રણ વાર થઈ રહ્યું છે તો સમજી લેવું કે ઘરમાં કંકાસ વધવાનો છે.
જો રસોડામાં મીઠું વારંવાર પડી જાય તો શનિદેવ તમારાથી નારાજ છે. મીઠું ચંદ્ર અને શુક્રનું પ્રતિનિધિત્વ કરે છે. આનાથી અનેક પ્રકારના નુકસાન તમને થઈ શકે છે.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે રસોડામાં તેલ ઢળવું પણ અશુભ માનવામાં આવે છે. આ ખરાસ દિવસો આવવના સંકેત છે.
આ ઉપરાંત આ સાથે રાહુ કેતુનો પણ સંબંધ હોઈ શકે છે. આનાથી પણ જાણી શકાય કે શનિદેવ તમારાથી નારાજ છે.
જો આવી વસ્તુ વારંવાર પડે છે તો આ ચીજોનું દાન કરવાનું શરુ કરો. આનાથી સમસ્યાઓમાંથી છૂટકારો મળશે.