તમે આમળા મરચાનું અથાણું કદી ખાધું છે? આ સ્વાદિષ્ટ અને તીખું અથાણું તમારા મનપસંદ પરાઠા, રોટલી અથવા તો દાળ ભાત સાથે પણ યોગ્ય છે! તે ફક્ત ભોજનનો સ્વાદ નહિ વધારે પણ સ્વાસ્થ્ય લાભોથી પણ ભરપૂર છે!
250 ગ્રામ આમળા, 1/2 કપ ગરમ તેલ, 150 ગ્રામ તાજા લીલા મરચાં, 4 ચમચી વરિયાળી, 3 ચમચી જીરું, 3-4 ચમચી સરસવ દાણા
2 ચમચી મેથીના દાણા, 2 ચમચી અજમો, 1 ચમચી કલોંજી, 2-3 ચમચી ધાણા પાઉડર, 1 ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ મુજબ મીઠું અને હિંગ
સૌ પ્રથમ 250 ગ્રામ આમળાને 20 મિનિટ માટે વરાળથી બાફી રાખો. એકવાર તે બાફ્યા બાદ બીજ કાઢીને તેના ટુકડા કરો.
હવે તેને પંખા નીચે થોડા કલાકો સુધી સૂકવવા દો, 150 ગ્રામ તાજા લીલા મરચાં કાપો, તમે મસાલેદાર અથવા તીખા ન હોય તેવા પસંદ કરો. આ ઉપરાંત થોડા નાના આદુના ટુકડો કટ કરો.
હવે અથાણાનો મસાલા ઉમેરો, 3 ચમચી જીરું, 4 ચમચી વરિયાળી, 3-4 ચમચી સરસવના દાણા, 2 ચમચી મેથીના દાણા અને 2 ચમચી અજમાને સુગંધ આવે ત્યાં સુધી સૂકા શેકો.
બધું બારીક પીસી લો અને તેમાં 1 ચમચી કલોંજી, 2-3 ચમચી ધાણા પાવડર, 1 ચમચી હળદર, 2 ચમચી લાલ મિર્ચી પાવડર મીઠું અને હિંગ મિક્સ કરો.
1/2 કપ તેલ ગરમ થાય ત્યાં સુધી ગરમ કરો અને તેને મસાલાના મિશ્રણ પર રેડો. બધું ભેળવીને બાફેલા આમળા, મરચાં અને આદુ નાખો.
હવે તમારું અથાણું તૈયાર છે! તેનો તરત જ આનંદ માણો, તેને બે કલાક રહેવા દો. જો તે લાંબો સમય સાચવવું હોય તો તેને ફ્રિજમાં 3 અઠવાડિયા મૂકી શકાય છે.