આજનો ઇતિહાસ 2 જાન્યુઆરી : ભારત રત્ન અને પદ્મ વિભૂષણ પુરસ્કારનો સ્થાપના દિન

Today history 2 January : આજે 2 જાન્યુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો ભારતના સર્વોચ્ચ સમ્માન - ભારત રત્ન પુરસ્કાર અને પદ્મ વિભૂષણ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Written by Ajay Saroya
Updated : January 02, 2024 08:24 IST
આજનો ઇતિહાસ 2 જાન્યુઆરી : ભારત રત્ન અને પદ્મ વિભૂષણ પુરસ્કારનો સ્થાપના દિન
ભારત રત્ન અને પદ્મ વિભૂષણ એ ભારત સરકાર તરફથી આપવામાં આવે છે. (Photo - ieGujarati.com)

Today history 2 January : આજે તારીખ 2 જાન્યુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો વર્ષ 1954માં આજના દિવસે ભારતના સર્વોચ્ચ સમ્માન – ‘ભારત રત્ન’ અને ‘પદ્મ વિભૂષણ’ની સ્થાપના કરવામાં આવી હતી. ભારત રત્ન ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે. આ પુરસ્કાર રાષ્ટ્રની સેવા બદલ એનાયત કરવામાં આવે છે. સૌથી પહેલો ભારત રત્ન પુરસ્કાર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને આપવામાં આવ્યો હતો. પદ્મવિભૂષણ પુરસ્કાર ભારત સરકાર દ્વારા વાર્ષિક ધોરણે આપવામાં આવતો દેશનો બીજા ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે, જે દેશના માટેના સૈનિકક્ષેત્ર સિવાયના ક્ષેત્રમાં અસાધારણ યોગદાન માટે એનાયત કરવામાં આવે છે. ઉપરાંત મહિલાઓ માટે મહત્વપૂર્ણ કામગીરી કરનાર, સમાજ સુધારક અને ગાંધીજીના આંદોલનમાં ભાગ લેનાર પ્રખ્યાત મહિલા સ્વાતંત્ર્ય સેનાની ડો. રાધાભાઇની પૃણ્યતિથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (Today history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

2 જાન્યુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 2020 – ભારત સરકારે ચંદ્રયાન-3 અભિયાનને મંજૂરી આપી.
  • ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવતે દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપીને ઓફિસમાં તેમના પ્રથમ દિવસની શરૂઆત કરી.
  • દૃષ્ટિહીન લોકોને નોટો ઓળખવામાં મદદ કરવા માટે, રિઝર્વ બેન્કે મની મોબાઈલ એપ લોન્ચ કરી, જે દૃષ્ટિહીન લોકોને ચલણી નોટો ઓળખવામાં મદદ કરે છે.
  • ચૂંટણી પંચે રાજકીય પક્ષોની માટે ઓનલાઈન ટ્રેકિંગ સિસ્ટમ શરૂ કરી છે.
  • ભારતીય રેલવેએ હેલ્પલાઇન નંબર 139ની જાહેરાત કરી છે.
  • પાકિસ્તાને દ્વિપક્ષીય કરાર હેઠળ ભારત સાથે તેના પરમાણુ મથકોની યાદી આપલ-લે કરી છે. તેણે આ યાદી પાકિસ્તાનમાં ભારતીય હાઈ કમિશનના એક અધિકારીને આપી હતી. ભારતે પણ આવી જ યાદી પાકિસ્તાનને આપી હતી.
  • 2016 – સાઉદી અરેબિયાના પ્રખ્યાત શિયા ધર્મગુરુ નિમ્ર અલ-નિમ્ર અને અન્ય 46 સાથીઓને સરકારે ફાંસી આપી હતી.

આ પણ વાંચોઃ  1 જાન્યુઆરી ઔરંગઝેબ સામે શરણાગતિ ન સ્વીકારનાર ક્રાતિવીર ગોકુલ સિંહ જાટનો શહીદદિન

  • 2010 – સોમાલિયાના ચાંચિયાઓએ ઇટલીના જેનોઆથી સોમાલિયા થઈને ભારતના કંડલા બંદરે આવી રહેલા સિંગાપોર ફ્લેગ કેરિયર MV પ્રમોની નામના કેમિકલ જહાજને હાઇજેક કર્યું.
  • ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસના કારણે પાંચ ટ્રેન પાટા પરથી ઉતરી જતાં 10 મુસાફરોના મોત થયા હતા અને 40 ઘાયલ થયા હતા.
  • ઇટાવાની પાસે સરાય ભોપાલ સ્ટેશન પર દિલ્હી જઇ રહેલી લિચ્છવી એક્સપ્રેસે મગધ એક્સપ્રેસને પાછળથી ટક્કર મારી.
  • કાનપુરના પનકી થી બે કિમી દૂર દિલ્હી જઇ રહેલી પ્રયાગરાજ ટ્રેન તે જ ટ્રેક ઉપર ઉભી રહેલી ગોરખધામ એક્સપ્રેસ સાથે અથડાઇ.
  • સરયુ એક્સપ્રેસ ટ્રોલી સાથે અથડાઈ હતી.
  • 2009 – ભારતીય રિઝર્વ બેંકે બજારમાં 20 કરોડ રૂપિયાનું રાહત પેકેજ આપવાનું નક્કી કર્યું.
  • ભારતનો સૌરભ ઘોષાલ સ્ક્વોશ રેન્કિંગમાં કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો.
  • 2008 – સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અને ભૂતપૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના પુત્ર નીરજ શેખરે બલિયા લોકસભા બેઠક માટે પેટાચૂંટણી જીતી.
  • સાન ફ્રાન્સિસ્કોમાં રહેતી સમન હસનૈન વર્ષ 2002ની મિસિસ પાકિસ્તાન વર્લ્ડ તરીકે પસંદ કરાઇ હતી. ચિલીના દક્ષિણ લિમા જ્વાળામુખી ફાટ્યો.
  • 2002 – આર્જેન્ટિનામાં 12 દિવસમાં પાંચમા રાષ્ટ્રપતિની નિમણૂક, દેશ નાદાર જાહેર થયો, સાર્ક વિદેશ મંત્રીઓની બેઠક કાઠમંડુમાં શરૂ થઈ, પાકિસ્તાન શરતી રીતે આતંકવાદીઓને સોંપવા તૈયાર.
  • 2001- બાંગ્લાદેશમાં ‘ફલવા’ ગેરકાયદેસર જાહેર.
  • 1993 – શ્રીલંકામાં ગૃહ યુદ્ધ – શ્રીલંકાની નૌકાદળે જાફના વિસ્તારમાં 35 થી 100 નાગરિકોની હત્યા કરી.
  • 1991 – તિરુવનંતપુરમ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવામાં આવ્યું.
  • 1989 – રણસિંધે પ્રેમદાસ શ્રીલંકાના રાષ્ટ્રપતિ બન્યા.
  • 1975- રેલ મંત્રી લલિત નારાયણ મિશ્રા બિહારના સમસ્તીપુર જિલ્લામાં બોમ્બ વિસ્ફોટમાં ઘાયલ.
  • 1973 – જનરલ એસ. એફ. એ. જે. માણિક શૉને ફિલ્ડ માર્શલ બનાવવામાં આવ્યા હતા.
  • 1954 – 2 જાન્યુઆરી, 1954ના રોજ પદ્મ વિભૂષણ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી. ભારત રત્ન એવોર્ડની સ્થાપના 2 જાન્યુઆરી, 1954ના રોજ કરવામાં આવી હતી.
  • 1942 – બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, જાપાની સેનાએ ફિલિપાઈન્સની રાજધાની મનીલા પર કબજો કર્યો.
  • 1941 – બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મન હુમલાને કારણે બ્રિટનના કાર્ડિફ શહેરમાં આવેલા લેનડોફ કેથેડ્રલને ભારે નુકસાન.
  • 1899 – રામકૃષ્ણના આદેશને અનુસરીને, સાધુઓએ કલકત્તા (કોલકાતા) સ્થિત બેલુર મઠમાં રહેવાનું શરૂ કર્યું.
  • 1757 – રોબર્ટ ક્લાઈવે નવાબ સિરાજુદ્દૌલા પાસેથી કલકત્તા (કોલકાતા) પાછું છીનવી લીધું.

આ પણ વાંચો |  1 જાન્યુઆરીનો ઇતિહાસ: ગોકુલ સિંહ જાટનો શહીદ દિન, વિશ્વ કુટુંબ દિવસ કેમ ઉજવાય છે?

2 જાન્યુઆરી – પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • મેજર વિવેક ગુપ્તા (1970) – ‘મહાવીર ચક્ર’થી સન્માનિત ભારતના બહાદુર સૈનિક હતા.
  • બુલા ચૌધરી (1970) – પ્રખ્યાત તરવૈયા.
  • લાખા સિંહ (1965) – ભારતના પ્રખ્યાત બોક્સર હતા.
  • અશ્વિની કુમાર ચૌબે (1953) – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી છે.
  • એસ. આર. શ્રીનિવાસ વર્ધન (1940) – ભારતીય અમેરિકન ગણિતશાસ્ત્રી.
  • ચંદ્રશેખર કંબર (1937) – કન્નડ ભાષાના કવિ, નાટ્યકાર અને લોક સાહિત્યકાર છે.
  • ડી.એન. ખુરોડે (1906) – એક પ્રખ્યાત ભારતીય ઉદ્યોગસાહસિક હતા, જેમણે ભારતના ડેરી ઉદ્યોગમાં મોટું યોગદાન આપ્યું હતું.
  • જૈનેન્દ્ર કુમાર (1905) – હિન્દી સાહિત્યના પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક વાર્તાકાર અને નવલકથાકાર.
  • સુકુમાર સેન (1899) – ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર હતા.
  • મન્નટ્ટુ પદ્મનાભન (1878) – કેરળના પ્રખ્યાત સમાજ સુધારક હતા.

આ પણ વાંચો | 30 ડિસેમ્બરનો ઇતિહાસ: ભારતના અવકાશ યુગના પિતા કોણ છે? કોને આધુનિક હિન્દી સાહિત્યના કવિ કહેવાય છે?

2 જાન્યુઆરી – પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • બૂટાસિંહ (2021) – કોંગ્રેસના વરિષ્ઠ રાજનેતા તથા ભૂતપૂર્વ ગૃહમંત્રી હતા.
  • રમાકાંત આચરેકર (2019) – ભારતીય ક્રિકેટ કોચ હતા.
  • અનવર જલાલપુરી (2018) – ‘યશ ભારતી’ થી સન્માનિત પ્રખ્યાત ઉર્દૂ કવિ હતા.
  • વસંત ગોવારિકર (2015) – પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી સન્માનિત ભારતીય વૈજ્ઞાનિક હતા.
  • અન્નારામ સુદામા (2014) – રાજસ્થાની ભાષાના પ્રખ્યાત લેખક
  • બલી રામ ભગત (2011) – પ્રખ્યાત સ્વતંત્રતા સેનાની અને ભૂતપૂર્વ લોકસભા અધ્યક્ષ
  • રાજેન્દ્ર શાહ (2010) – ગુજરાતી લેખક
  • સફદર હાશ્મી (1989) – પ્રખ્યાત માર્ક્સવાદી નાટ્યકાર, કલાકાર, દિગ્દર્શક અને ગીતકાર.
  • હરે કૃષ્ણ મહેતાબ (1987) – ‘ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ’ ના અગ્રણી નેતા અને આધુનિક ઓડિશાના નિર્માતાઓ પૈકીના એક હતા.
  • અજીત પ્રસાદ જૈન (1977) – સ્વતંત્રતા સેનાની અને પ્રખ્યાત રાષ્ટ્રીય કાર્યકર્તા હતા.
  • ડૉ. રાધાબાઈ (1950) – પ્રખ્યાત મહિલા સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક.
  • મૌલાના મઝહરુલ હક (1950) – સ્વતંત્રતા સેનાની હતા.
  • વિઠ્ઠલ રામજી શિંદે (1944) – મહારાષ્ટ્રના પ્રખ્યાત અને મોટા સમાજ સુધારકો પૈકીના એક હતા.

આ પણ વાંચો | 29 ડિસેમ્બરનો ઇતિહાસ: ધાર્મિક સિરિયલ રામાયણ કોણે બનાવી હતી? ક્યા ફિલ્મ અભિનેતાને કાકા કહેવાય છે?

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ