એક્ઝિટ પોલ શું છે? ભારતમાં તેને લગતા ક્યાં નિયમ લાગુ છે?

Gujarat assembly exit polls 2022: એક્ઝિટ પોલ જનતામાં ખુબજ ઉત્સુકતા પેદા કરે છે કેટલીક વાર ચૂંટણી પરિણામોની સૌથી સચોટ આગાહી પણ કરે છે.

Written by shivani chauhan
Updated : December 06, 2022 09:29 IST
એક્ઝિટ પોલ શું છે? ભારતમાં તેને લગતા ક્યાં નિયમ લાગુ છે?
(Express photo: Nirmal Harindran)

ગઈકાલ સાંજે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો અંત આવ્યો અને સાંજ સુધીમાં એક્ઝિટ પોલનું રિઝલ્ટ પણ મીડિયા દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. અહીં જણાવી દઈએ કે,ભારતમાં છેલ્લું મતદાન થાય ત્યાં સુધી ચોક્કસ ચૂંટણી માટેના એક્ઝિટ પોલના પરિણામો પ્રકાશિત કરવાની મંજૂરી નથી.

એક્ઝિટ પોલ જનતામાં ખુબજ ઉત્સુકતા પેદા કરે છે કેટલીક વાર ચૂંટણી પરિણામોની સૌથી સચોટ આગાહી પણ કરે છે, ત્યારે પોલ શું છે? કેવી રીતે યોજાય છે?, સંચાલિત કરવાના નિયમો શું છે?, સારા એક્ઝિટ પોલ માટે ક્યાં પરિબળો જવાબદાર છે?, અહીં જાણો

એક્ઝિટ પોલ શું છે?

એક્ઝિટ પોલમાં મતદાતાઓને મતદાન કર્યા પછી પુછાય છે કે કઈ રાજકીય પાર્ટીને તેઓ સપોર્ટ કરો છો?, તે ઓપનિયન પોલથી અલગ છે જે ચૂંટણી પહેલા કરવામાં આવે છે. મતદારોને પ્રભાવિત કરનારા મુદ્દાઓ, વ્યક્તિત્વો અને વફાદારીઓની સાથે ચૂંટણીનો પવન કઈ દિશામાં ફૂંકાઈ રહ્યો છે તેનો એક્ઝિટ પોલ સૂચવે છે.

આ પણ વાંચો: ગુજરાત એક્ઝિટ પોલ વિશ્લેષણઃ ભાજપ જીત માટે પ્રબળ દાવેદાર, આપની બઢતથી થઇ શકે છે મોટો ફેરફાર

શું એક્ઝિટ પોલને સારું અથવા ખરાબ બનાવે છે?

કેટલાક સામાન્ય પરિમાણો, જે સારા કે સચોટતા ઓપિનિયન પોલ માટે હશે, સેમ્પલ સાઈઝ હશે જે વિશાળ અને વૈવિધ્યસભર બંને હશે, અને સ્પષ્ટ પૂર્વગ્રહ વગર બનાવેલ પ્રશ્નાવલી હશે. સેન્ટર ફોર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝના ડિરેક્ટર સંજય કુમારે અગાઉ ધ ઈન્ડિયન એક્સપ્રેસમાં લખ્યું છે કે, પ્રશ્નાવલિ વિના, ડેટાને સુસંગત રીતે એકત્રિત કરી શકાતો નથી કે મત શેરના અંદાજ પર પહોંચવા માટે તેનું વ્યવસ્થિત વિશ્લેષણ કરી શકાતું નથી.”

રાજકીય પાર્ટી વારંવાર આક્ષેપ કરે છે કે આ ચૂંટણીઓમાં હરીફ પક્ષ દ્વારા નાણાં પૂરાં પાડવામાં આવે છે આ ચૂંટણીઓમાં નાણાં પૂરાં પાડવામાં આવે છે, વિવેચકો એમ પણ કહે છે કે શબ્દો અને સમય અને પ્રકૃતિ દ્વારા એક્ઝિટ પોલ્સમાં મળેલા પરિણામો એક્ઝિટ પોલની પસંદગીથી પ્રભાવિત પણ થઇ શકે છે.

આ પણ વાંચો: ગુજરાત ચૂંટણી બીજો તબક્કો: PM મોદીએ સામાન્ય નાગરીકની જેમ લાઇનમાં ઊભા રહી કર્યું મતદાન, લોકોનો માન્યો આભાર

એક્ઝિટ પોલનો ઇતિહાસ

બીજી લોકસભાની ચૂંટણી દરમિયાન સંજય કુમારએ વર્ષ 1957માંએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ઓપિનિયનએ આવા પોલ કર્યા હતા.

ભારતમાં એક્ઝિટ પોલનું સંચાલન કરતા નિયમો

એક્ઝિટ પોલને ક્યારે પ્રકાશિત કરવાની મંજૂરી આપવી જોઈએ તે મુદ્દો વિવિધ રીતે 3 વાર સુપ્રીમ કોર્ટમાં ગયો છે. હાલમાં, મતદાન શરૂ થાય તે પહેલાથી છેલ્લા તબક્કાની સમાપ્તિ સુધી એક્ઝિટ પોલનું પ્રસારણ કરી શકતું નથી.

ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીઓ માટે, ચૂંટણી પંચે સૂચના આપી હતી કે 12 નેવેમ્બર ના રોજ સવારે 8 વાગ્યાથી 5 ડિસેમ્બરના રોજ સાંજે 5:30 વાગ્યા સુધી કોઈપણ એક્ઝિટ પોલ પ્રકાશિત કરવા પર પ્રતિબંધ રહેશે. જયારે હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરએ મતદાન થયું હતું, ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરના રોજ એમ બે તબક્કામાં મતદાન થયું હતું. બંને રાજ્યોના પરિણામ 8 ડિસેમ્બરએ જાહેર થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ