Live

બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં: ભારતની સાથે પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવીને રહીશું, હવે શનિવારે 6 વાગે કાર્યક્રમ શરૂ થશે

Bageshwar dham dhirendra shastri darbar surat live : બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીનો સુરતમાં 'દિવ્ય દરબાર' ચાલી રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો- અનુયાયીઓ સહિત મોટી સંખ્યમાં નેતાઓ અને જાણીતા હસ્તીઓ પહોંચ્યા છે.

Written by Ajay Saroya
Updated : May 26, 2023 21:56 IST
બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં: ભારતની સાથે પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવીને રહીશું, હવે શનિવારે 6 વાગે કાર્યક્રમ શરૂ થશે
બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારનું સુરતમાં આયોજન કરાયું છે

બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીનો હાલ સુરતમાં દિવ્ય દરબાર યોજાયો છે. બાબાના દરબારમાં ભક્તો અને અનુયાયીઓ સહિત મોટી સંખ્યમાં નેતાઓ, જાણીતા વ્યક્તિઓ પહોંચ્યા છે. બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં ચાલી રહ્યો છે ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતના એક પ્રખ્યાત બિલ્ડરના ફાર્મમાં રોકાયા છે અને તેની માટે અત્યંત વૈભવી સુવિધા અને કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે.

Read More
Live Updates

સુરતમાં શનિવારે 6 વાગે કાર્યક્રમ શરૂ થશે

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી 27 મે, 2023ના રોજ પણ સુરતમાં છે.

જ્યા 26 મેના રોજ દરબાર યોજાયો હતો તે જ સ્થળે ધીરેન્દ્ર શાસ્ત્રી 6 વાગે હનુમંત કથા કરશે.

ત્યારબાદ 29 મેના રોજ અમદાવાદમાં ચાણક્યપુરી ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો 'દરબાર' લાગશે

કિર્તીદાન ગઢવીની ભજનોની રમઝટ

ધીરેન્દ્ર શાસ્ત્રીના સુરતમાં દરબારના પ્રથમ દિવસે છેલ્લે ગુજરાતના લોક કલાકાર કિર્તીદાન ગઢવી અને સાથી કલાકારોએ ભજનોની રમઝટ બોલાવી.

1 ભક્તે 2024માં લોકસભાની ચૂંટણી લડવાની અને જીતવાની ઇચ્છા વ્યક્ત કરી

દરબારમાં આવેલા એક વૃદ્ધ વ્યક્તિએ વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી.

ઉપરાંત જો ચૂંટણી જશે તો સુરતના પરપ્રાંતિ વ્યક્તિને મફત મકાન આપવાની ઘોષણા કરી.

સુરતમાં ટૂંક સમયમાં રામ કથાનું આયોજન કરાશે

ધીરેન્દ્ર શાસ્ત્રીએ દરબારમાં ભકતોની સુનાવણી વખતે કહ્યું કે, સુરતમાં ટૂંક સમમયાં રામ કથાનું આયોજન કરવામાં આવશે

સુરતમાં આજે પ્રેત રાજ દરબાર પણ યોજાશે

દરબારમાં ભકતોની અરજ પર સુનાવણી કરતા ધીરન્દ્ર શાસ્ત્રીએ કહ્યુ કે, સુરતમાં આજે રાત્રે પ્રેત રાજ દરબાર પણ યોજાશે

ભક્તને પાણી પીવડાવી ઉપવાસ તોડાવ્યા

દરબારમાં 3 ભક્તને બોલાવ્યા હતા, જેમણે બાબાના દર્શન માટે નિર્જલ ઉપવાસ રાખ્યો હતો.

તેની અરજ સાંભળવાની સાથે મંચ પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ પાણી પીવડાવી ઉપવાસ તોડાવ્યો.

જવાબ સાભળી શકો તેવા જ પ્રશ્નો પુછવા- ધીરેન્દ્ર શાસ્ત્રી

જવાબ સાભળી શકો તેવા જ પ્રશ્નો પુછવા- ધીરેન્દ્ર શાસ્ત્રી

બીજા ભક્તની અરજ સાંભળી

દરબારમાં ભક્તોની અરજ સાંભળવાની શરૂઆત, 5 ભક્તોને બોલાવ્યા

ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં ભક્તો – અનુયાયીઓની અરજીઓ શરૂ થઇ ગઇ છે.

બાબાએ ભક્તોની અરજ સાંભળવાની શરૂઆત કરી છે 5 ભક્તોને બોલાવ્યા છે.

બાબાના દરબારમાં સી.આર. પાટીલ પહોંચ્યા

ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં સી.આર પાટીલ સહિત અન્ય મોટા નેતાઓ આર્શીવાદ લેવા પહોંચ્યા હતા.

ધીરેન્દ્ર શાસ્ત્રીનું વાઇ-ફાઇ એટલે હનુમાન જીની ગદા

'દરબાર'ના આરંભમાં પ્રવચન દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમની પાસે એક ખાસ વાઇ-ફાઇ હોવાનું જણાવ્યુ હતુ. આ વાઇ-ફાઇ એટલે હનુમાનજીની ગદા.

કીર્તિદાન ગઢવીના ડાયરાના કાર્યક્રમ બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારની શરૂઆત થઇ

લોક કલાકાર કીર્તિદાન ગઢવીના ડાયરાના કાર્યક્રમ બાદ બાગેશ્વર ધામ સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારનું આયોજન થયું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ