ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ચૌધરીને શક્તિ પ્રદર્શનનો મળ્યો લાભ, ભાજપાએ ખેરાલુથી સરદાર ચૌધરીની ટિકિટ આપી

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ભાજપે માણસાથી જયંતિભાઇ પટેલ અને ગરબડાથી મહેન્દ્રભાઇ ભાભોરને ટિકિટ આપી

Written by Ashish Goyal
Updated : November 16, 2022 15:47 IST
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ચૌધરીને શક્તિ પ્રદર્શનનો મળ્યો લાભ, ભાજપાએ ખેરાલુથી સરદાર ચૌધરીની ટિકિટ આપી
ભાજપાએ ખેરાલુથી સરદારસિંહ ચૌધરીની ટિકિટ આપી

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 માટે ભારતીય જનતા પાર્ટીએ 3 ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. જેમાં ખેરાલુથી સરદારસિંહ ચૌધરી, માણસાથી જયંતિભાઇ પટેલ અને ગરબડાથી મહેન્દ્રભાઇ ભાભોરને ટિકિટ આપી છે.

અર્બુદા સેના દ્વારા હાલમાં જ ચરાડામાં ચૌધરીઓનું શક્તિ પ્રદર્શન યોજાયું હતું. જેમાં પહેલા સરકારની વિરુદ્ધમાં હોવાનો અહેવાલો હતા. જોકે બાદમાં કોઇ રાજનીતિક નિવેદનો કરાયા ન હતા અને ભાજપા સાથે સમાધાન થયું હોવાના દાવો છે. જેથી ભાજપાએ તેના બદલામાં ખેરાલુ પરથી ચૌધરી ઉમેદવારને ટિકિટ આપી હોવાની ચર્ચા ચાલી રહી છે. આ બેઠક પર વર્તમાન ધારાસભ્ય અજમલજી ઠાકોરની ટિકિટ કાપવામાં આવી છે. આ સીટ પર ઠાકોરની બહુમતી હોવા છતા ચૌધરી ઉમેદવારને ટિકિટ આપી છે.

જયરાજસિંહ પરમારને ન મળી ટિકિટ

કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા જયરાજસિંહ પરમાર ખેરાલુ બેઠક પરથી પ્રબળ દાવેદાર હતા. જોકે ભાજપે ખેરાલુ બેઠક પરથી ચૌધરી સરદારસિંહને ઉમેદવાર જાહેર કર્યા જાહેર છે. આ સાથે જ જયરાજસિંહ પરમારના ખેરાલુથી ટિકિટ મેળવવાના સપના અધૂરા રહી ગયા છે.

આ પણ વાંચો – AAP ઉમેદવાર કંચન જરીવાલાએ ઉમેદવારી પાછી ખેંચી, આપ નેતાઓએ ભાજપ પર અપહરણનો લગાવ્યો હતો આરોપ

ભાજપના વધુ 3 ઉમેદવારો જાહેર

ઉમેદવારબેઠક
સરદાર સિંહ ચૌધરીખેરાલુ
જયંતિભાઇ પટેલમાણસા
મહેન્દ્રભાઇ ભાભોરગરબડા-એસટી

ભાજપે પહેલી યાદીમાં 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આ પછી બીજી યાદીમાં છ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ત્રીજી યાદીમાં 12 નામો જાહેર કર્યા હતા અને હવે ચોથી યાદીમાં 3 નામોની જાહેરાત કરી છે. આમ ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધીમાં કુલ 181 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. હવે ફક્ત 1 સીટના ઉમેદવારોની જાહેરાત બાકી છે.

પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરાઇ ગયા છે. બીજા તબક્કામાં ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ 17 નવેમ્બર છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે.

ચૌધરી સમાજનું શક્તિ પ્રદર્શન

ચરાડા ગામ ખાતે મંગળવારે ચૌધરી સમાજનું સ્નેહ મિલન અને સામાન્ય સભા યોજાઇ હતી. આ કાર્યક્રમમાં મોટી સમાજમાં ચૌધરી સમાજના આગેવાનો અને લોકો ઉમેટી પડ્યા હતા. આ કાર્યક્રમમાં ચૌધરી સમાજના અંદાજે બે લાખ જેટલા લોકો હાજર રહ્યા હતા. ચૌધરી સમાજના આ કાર્યક્રમને કોઇ પણ રાજકીય પક્ષ અવગણવાની હિંમત કરશે નહીં.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ