Apr 24, 2025
માટલાનું પાણી પ્રાકૃતિક વાષ્પીભવન થવાના કારણે કુદરતી રીતે ઠંડુ રહે છે. તે શરીરના તાપમાનને નિયંત્રિત કરીને હીટસ્ટ્રોકથી બચાવે છે.
માટીના માટલામાં રહેલ કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પ્રાકૃતિક મિનરલ્સ પાણીમાં ભળીને હાડકા, સ્નાયૂઓ અને હૃદયના સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડે છે.
માટલાનું પાણી શરીરના પીએચને સંતુલિત કરીને એસિડિટી, અપચો અને કબજિયાતથી રાહત આપે છે.
માટલાનું પાણી શરીરને હાઇડ્રેટ રાખીને શરીરથી વિષાક્ત પદાર્થોને બહાર નિકાળીને કિડની અને લિવરને સ્વસ્થ રાખે છે.
માટલાના પાણીમાં રહેલ મિનરલ્સ ત્વચાને ચમકદાર અને વાળને મજબૂત કરે છે.
માટલાનું પાણી બેક્ટેરિયા અને અશુદ્ધઓથી મુક્ત હોવાના કારણે ઈન્યુન સિસ્ટમને મજબૂત કરે છે.
પાણી ભરવા માટે હંમેશા શુદ્ધ માટીથી બનેલા માટલા ખરીદો. સિમેન્ટથી બનેલા માટલા ખરીદશો નહીં.
માટલાને અઠવાડિયામાં એકવાર બેકિંગ સોડા અથવા લીંબુની છાલથી સાફ કરો જેથી તેમાં બેક્ટેરિયા ઉદ્ભવે નહીં.
માટલાને હંમેશા છાયડામાં અને હવાદાર જગ્યાએ રાખો. આ માટે એવી જગ્યાની પસંદ કરો જ્યાં તડકો સીધો ના આવતો હોય.
નવા માટલાનો ઉપયોગ કરતા પહેલા 24 કલાક માટે પાણીમાં પલાળીને રાખો, જેથી માટીની દુર્ગંધ દૂર થઈ જાય.
જો તમને ઠંડી તાસીરની વસ્તુઓથી એલર્જી છે તો માટલાનું પાણી સીમિત માત્રામાં પીવો.