બસંતી પુલાવ એક સુંદર સુગંધિત ચોખાની રેસીપી છે, જે પુલાવનું એક સ્વરૂપ છે. તે સ્વાદમાં થોડો મીઠો હોય છે.
કોલકાતામાં બોનેડી બારીર દુર્ગાપૂજામાં બસંતી પુલાવનો ઉપયોગ ભોગ અન્નપ્રસાદ તરીકે થાય છે.
બાસમતી ચોખા (આ ખાસ વાનગીમાં ગોબિંદોભોગ ચોખાનો સ્વાદ સારો આવે છે), હળદર, કાજુ અને સુકી દ્રાક્ષ, આદુની પેસ્ટ, ખાંડ, ઘી, આખાનો ગરમ મસાલો, તમાલપત્ર, પાણી.
ચોખામાં થોડું ઘી નાંથો અને તેને પાણીમાં પલાળી રાખો. અડધા કલાક માટે પલાળી રાખો.
ઘી ગરમ કરો અને કાજુ અને સૂકી દ્રાક્ષને હળવા હાથે તળો.
તે જ પેનમાં તમાલપત્ર અને ગરમ મસાલો ઉમેરો. તેમાં એક ચમચી આદુની પેસ્ટ અને હળદર પાવડર ઉમેરો.
તેમાં પલાળેલા ચોખા ઉમેરો અને થોડીવાર માટે તળો. પાણી ઉમેરો અને ઉકાળો. એક કપ ચોખા માટે બે કપ પાણીનો ઉપયોગ કરો.
હવે તમારા મસ્ત અને મસાલેદાર બસંતી પુલાવ તૈયાર છે તેને કઢી સાથે ગરમાગરમ પીરસો.