Aug 07, 2025
વરસાદની મોસમમાં ખેતરોની વાડ પર કોઇપણ સંભાળ વગર થઇ જતી એક શાકભાજી ઘણી જ પૌષ્ટિક હોય છે. આ પૌષ્ટિક શાકભાજીનું નામ કંકોડા છે.
આ કાંટાવાળા શાકને કંટોલા પણ કહેવામાં આવે છે. ત્યારે આ સંજીવની સમાન શાકની ખાસિયતો છે સ્વાસ્થ્ય માટે ખુબ જ શ્રેષ્ઠ છે.
કંટોલા કે કંકોડામાંથી વિટામિન સી પૂરતી માત્રામાં મળે છે. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જેના કારણે તમે અનેક પ્રકારની બીમારીઓથી બચી શકો છો.
કંટોલામાં ફાઈબર, વિટામિન B6 વગેરે જેવા પોષક તત્વો પણ પર્યાપ્ત માત્રામાં હોય છે, જે શરીરને ઓક્સિડેટીવ સ્ટ્રેસથી બચાવવામાં મદદ કરે છે.
ઔષધીય ગુણોથી ભરપૂર આ શાકભાજી કારેલા કે લીલી લીચી જેવી લાગે છે. આ શાક નોનવેજ કરતાં પણ વધુ શક્તિશાળી છે.
આ ઉપરાંત કંટોલામાં અનેક ઔષધીય ગુણો જોવા મળે છે. જે ઘણી ગંભીર બીમારીઓથી બચાવવામાં અસરકારક છે.
આ શાકભાજી માત્ર ચોમાસાની ઋતુમાં થોડા મહિના સુધી જ થાય છે. તેમાં ઘણા પ્રકારના ફાયટોન્યુટ્રિઅન્ટ્સ, આયર્ન, પ્રોટીન, વિટામિન્સ અને અન્ય ઘણા પોષક તત્વો મળી આવે છે.
કંટોલાનું શાક વજન ઘટાડવામાં ખૂબ મદદરૂપ છે. તેમાં હાજર ફાઈબર પેટને લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદ કરે છે.
કંટોલા આપણા શરીરના બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. જે લોકોને ડાયાબિટીસ છે તેમના માટે આ શાકભાજી ખૂબ જ ફાયદાકારક છે.
આ શાકભાજીમાં રહેલું ફાઈબર આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે કારણ કે તેમાં લ્યુટીન અને કેરોટીનોઈડ્સ મળી આવે છે. તેથી જ તેને જાદુઈ શાક પણ કહેવામાં આવે છે.