દાઝી ગયેલા ઘા અને નિશાનથી આ રીતે મેળવો છૂટકારો

Mar 04, 2025, 05:01 PM

દાઝી ગયા બાદ નિશાન અને દાગ સંપૂર્ણ રીતે જતા નથી, પરંતુ તમે તેને સામાન્ય કરવા માંગો છો તો કેટલાક નુસખા જરૂર અપવાની શકો છો.

જો તમારી ત્વચા પર દાઝી ગયા બાદ નિશાન પડી ગયું છે તો તે સ્થાન પર નારિયેળનું તેલ લગાવો. તેનાથી દાગ ઓછો થઈ જશે.

એલોવેરાની અસર ઠંડી હોય છે. ઠંડું હોવાના કારણે તે દાઝી ગયાની ઈજા પર લગાવવાથી તરત રાહત આપશે.

દાઝી ગયાના નિશાનને હટાવવા માટે મધ અને હળદરનો લેપ ફાયદાકારક છે. તેને જ્યાં દાઝી ગયા હોવ ત્યાં રેગ્યુલર લગાવતા રહો.

બાદામના તેલને જૂના દાગવાળા કે નિશાન વાળી જગ્યા પર દરરોજ લગાવો. આથી દાઝી ગયાના દાગ આછા થવા લાગશે.

ઈંડા પણ દાઝી ગયાના નિશાનને આછા કરી શકે છે. ઈંડાના પીળા ભાગને મધમાં મિક્સ કરીને દાગવાળી જગ્યાએ લગાવો.

દાઝી ગયેલા નિશાનને હટાવવા માટે લેવેંડરનું તેલ ફાયદામંદ છે. દાઝેલા સ્થાને લેવેંડર ઓઇલના થોડા ટીપા નાંખો અને રહેવા દો.

જો આ નુસખા બાદ પણ જો નિશાન જતા નથી તો તમે માઇક્રોનીડલિંગ, ડર્મા ફિલર્સ, કેમિકલ પીલ્સ અથવા લેઝર થેરેપીની મદદ લઈ શકો છો.