ભોજન બનેલું છે તો તેને ફરીથી ગરમ કરીને જમી લીધુ. લોકો માટે તે સામાન્ય વાત છે કે ખાવાનું ગરમ કરીને જમી લેવું.
કેટલાક એવા ફૂડ્સ પણ હોય છે, જેને વારંવાર ગરમ કરવાથી તેના તમામ પોષષતત્વોનો નાશ થઈ જાય છે. પછી તેને ખાવાથી શરીરને કોઈ ફાયદો થતો નથી.
આખરે તે કયાં ફૂડ છ, જેને વારંવાર ગરમ ના કરવા જોઈએ. ચાલો તેના વિશે જાણીએ.
આ લિસ્ટમાં સૌથી પહેલા છે ચોખા. જો ચોખા રાતના છે તો તેને સવાર ગરમ કરીને ફરીથી ન ખાવા જોઈએ. તે ઝેરથી ઓછુ નથી.
બાફેલા બટાટા અથવા પછી બટાટાની કોઈ સબ્જી ફરીથ ગરમ કરવાથી ખરાબ થઈ શકે છે. સાથે જ તેમાં બેક્ટેરિયા વધી જાય છે.
લીલી શાકભાજી જેમ કે પાલક, સોયા, મેથી, કુલ્ફા કયારેય ફરીથી ગરમ ના કરવી જોઈએ. ફરીથી ગરમ કરવાથી તેના તત્વો ખરાબ થઈ જાય છે.
મશરૂમ બાફીને ખાવ છો અથવા પછી તેની સબ્જી ખાવ છો, તો તેને ફરીથી ક્યારેય ગરમ કરશો નહીં. તેને ગરમ કરવાથી તેમાં કોઈ ન્યુટ્રીશિયન બચતા નથી.
બાફેલા ઈંડા રાખ્યા છે અને તમે વારંવાર તેને ગરમ કરીને ખાઈ રહ્યા છો તો તેનું પ્રોટીન તમને મળશે નહીં. તેના તત્વો ખતમ થઈ ગયા હશે.
નોન-વેજ લવર મીટ-માછલીને એક દિવસ રાખીને બીજા દિવસે ગરમ કરીને ખાતા હોય છે, આવું ક્યારેય કરશો નહીં. મીટ-માછલી ફરીથી ગરમ કરવાથી તે ખરાબ થઈ જાય છે.
હંમેશા કોશિશ કરો કે તાજું ભોજન ખાવ. જો વાસી ચોખા બચ્યા છે તો તેને ગરમ કર્યા વિના જ ખાવ.