ગરમી અથવા ડિહાઇડ્રેશનથી બચવા માટે ઉનાળાની ઋતુમાં ફુદીનાનું સેવન કરવું વધુ સારું માનવામાં આવે છે.
તે વધુ પડતો પરસેવો, ત્વચામાં બળતરા અને ખંજવાળ જેવી સમસ્યાઓનો પણ ઉપચાર કરે છે.
ખાસ કરીને ઉનાળાની ઋતુમાં ફુદીનાનું સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે.
ફુદીનામાં રહેલાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઈન્ફ્લામેટરી તત્વો ઈન્ફેક્શન સામે રક્ષણ કરે છે.
તેમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ, કેલ્શિયમ, ફોસ્ફરસ, ફાયબર અને મેગ્નેશિયમ સારી માત્રામાં હોય છે.
ફુદીનો વ્યક્તિને ગરમીમાં ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓથી છુટકારો આપાવે છે.
ફુદીનો નાખેલું લીંબુ પાણી પીવાથી શરીરની આંતરિક બળતરા દૂર થાય છે.