કેરીને જલ્દીથી પકવવાના ચક્કરમાં કેમિકલનો ઉપીયોગ કરવામાં આવે છે.
લોકો કાચી કેરીને જ તોડી નાંખે છે અને કેલ્શિયમ કાર્બાઈડથી પકવીને વેચે છે.
કાર્બાઇડના ઉપીયોગ પર પ્રતિબંધ છે અને આથી સ્વાસ્થ્યને ઘાતક નુક્સાન થાય છે.
આથી કેરી ખરીદતા સમયે અને ઘરે લાવીને જરૂરથી ચેક કરી લેવું કે કેરી કેવી રીતે પકવવામાં આવી છે.
કાર્બઇડથી પકવેલી કેરીની ઓળખ છે કે તેમાં ટપકા એટલે કે ડાઘ દેખાય છે.
કેરી ખરીદ્યા બાદ તેને પાણીમાં નાંખી દો, જો તે ઉપરની તરફ તરવા લાગે તો સમજી જવું કે તે કેમિકલથી પકવેલી છે.
કાર્બાઇડથી પકવેલી કેરી ઉપરથી પીળી અને અંદરથી થોડી કાચી નીકળે છે.
કેરીની ઉપર કરચલીઓ હોય અને ક્યાંક પાકેલી અને ક્યાંક કાચી હોય તો સમજી લેવું કે તે કાર્બાઇડથી પકવેલી છે.
કેરીના ડાળખાની આસપાસનો વિસ્તાર ઘેરા રંગનો અને ડાઘ નજર આવે તો સમજી લેવું કે કેરી ડાળ પર પાકેલી છે.