Jul 25, 2025
દરેકના રસોડામાં સોજી હોય છે, જેને આપણે રવો પણ કહીએ છીએ. સોજીથી ઘણા પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે.
સોજીમાં તમે મીઠામાં હલવો પણ બનાવી શકો છો અને નમકીનમાં ઉપમા જેવી ઘણી વસ્તુઓ બનાવી શકો છો.
સોજી સાથે અડચણ એ છે કે તેમાં જીવડા ખુબ જ જલ્દી આવી જાય છે. ચલો તમને જણાવીએ કે સોજીને જંતુઓથી કેવી રીતે બવાવવું.
સોજીવાળા ડબ્બામાં લીંમડાના 3-4 પત્તા રાખી દો. લીંમડાની કડવાશથી તેમાં જીવડા નહીં આવે.
રસોડાના મસાલામાં ઉપયોગમાં લેવાતું તમાલપત્ર પણ સોજીના જીવડાને ભગાડી શકે છે. તેમાં 2-3 તમાલપત્ર રાખી દો.
સોજીના ડબ્બામાં આખા સૂકા લાલ મરચા રાખી દો. લાલ મરચાથી પણ જીવડા નહીં પડે.
સોજીના ડબ્બામાં અડધી ચમચી મીઠું મિક્સ કરી દો. મીઠું હોવાના કારણે પણ તેમાં જીવડા નહીં પડે.
જંતુઓને સોજીથી દૂર રાખવા માટે તમે લવિંગને પણ ડબ્બામાં નાંખી શકો છો. લવિંગની ગંધથી પણ જીવડા તેનાથી દૂર રહેશે.
સોજીને સારી રીતે શેકી લો પછી તેને ઠંડુ કરો. તેના પછી તેને ડબ્બામાં બંધ કરો. શેકેલી સોજીમાં જીવડા પડતા નથી.
તમે સોજીના લાંબા સમય સુધી રાખી શકો છો પરંતુ વધારે દિવસ સુધી રાખ્યા બાદ બનાવતા પહેલા તેને ચેક જરૂરથી કરો.