Mar 10, 2025
ધૂળેટી રમવી લોકોને ખુબ જ પસંદ હોય છે પરંતુ તેના પછી રંગ કાઢવામાં ઘણી મુશ્કેલીઓ આવે છે.
ધૂળેટીનો રંગ વાળમાં ઘૂસી જાય છે. ઘણી વખત વાળમાંથી તે નિકળતો નથી અને પછી ખણ જેવી સમસ્યાઓ થવા લાગે છે.
કેમિકલ યુક્ત રંગોથી વાળના ડેમેજ થવાનો ખતરો પણ રહે છે. જે યોગ્ય નથી.
જો તમારા વાળમાં પણ રંગ ભરાઈ જાય તો તેનાથી છૂટકારો મેળવવા માટે તમે સરળ ટ્રીક અપનાવી શકો છો.
એલોવેરા જેલને વાળમાં લગાવો અને અડધા કલાક સુધી તેને છોડી દો. આથી વાળ સાફ થઈ જશે. રંગ નિકળી જશે.
સરસવનું તેલ વાળમાં લગાવો. થોડું વધારે તેલ લગાવો અને 15 મિનિટ બાદ શેમ્પૂથી ધોઈ નાંખો.
2 કાચા ઈંડા લો અને તેમાં દહીં નાંખી દો. પછી તેમા જૈતુનનું તેલ મિક્સ કરી લો. તેને વાળમાં લગાવો અને અડધા કલાક બાદ શેંમ્પૂ કરી લો.
બેસનમાં દહીં મિક્સ કરો અને લીંબુનો રસ નાંખી મિક્સ કરો. તેને વાળમાં અપ્લાઈ કરો અને પછી શેંમ્પૂથી વાળને ધોઈ લો.
વાળમાંથી રંગ નિકાળવા માટે નારિયેળ તેલ અને લીંબૂનો મિક્સ કરીને લગાવો. આથી પણ રંગ સાફ થઈ જશે.
ધૂળેટીના પર્વમાં રંગથી રમતા પહેલા વાળમાં સરસવનું તેલ લગાવો. આથી પાક્કો રંગ વાળમાં લાગશે નહીં.