Jun 08, 2025

ગુજરાતના મનમોહક વોટરફોલ, જે ચોમાસામાં થાય છે જીવંત

Rakesh Parmar

ગુજરાતમાં હવે વરસાદી મૌસમ જામશે અને ધરતીએ લીલી ચાદર ઓઢી હોય તેવા નજારો જોવા મળશે. પહાડી વિસ્તારોમાં કુદરતી સૌદર્ય ખીલી ઉઠશે.

Source: social-media

ગુજરાતના ધોધ

ગુજરાતમાં આવેલા માણવાલાયક ધોધની વાત કરીએ તો ઘણા બધા નામ યાદ આવે. આ તમામ ધોધ માત્ર ચોમાસામાં જ સક્રિય બને છે. જેથી આજ સમય હોય છે જ્યારે કુદરતના અદ્દભુત નજારાને માણી શકાય.

Source: social-media

ગીરા ધોધ

ચોમાસાની ઋતુમાં ડાંગ જિલ્લાનો પ્રખ્યાત ગીરા ધોધ જીવંત બને છે. પહાડો પરથી પડી રહેલુ પાણીનો ખીલખીલાટનો અનોખો નજારો જોવા અહીં મોટી સંખ્યામાં સહેલાણીઓ આવે છે.

Source: social-media

સાપુતારામાં ગીરમાળ ધોધ

સાપુતારા નજીક આવેલો ગીરમાળ ધોધ પણ ચોમાસામાં જીવંત બને છે. આ ધોધ આહવામાં સુબીર ગામ નજીક આવેલો છે. પ્રકૃતિનો નજારો માણવા અહી પણ પ્રવાસીઓ પહોચે છે.

Source: social-media

જમજીર ધોધ

ગીર સોમનાથનો જમજીર ધોધ પણ વરસાદમાં એક્ટિવ થાય છે. સહેલાણીઓ વરસાદમાં જીવંત બનેલા ધોધને જોવા આવે છે.

Source: social-media

વાંગણ વોટરફોલ

વાંગણ ધોધ વાંસદાના વાંગણ ગામમાં આવેલો છે જે ખુબ જ સુંદર પણ છે. લોકો આ જગ્યાએ ખુબ મજા કરે છે. અહીં ઉપરની તરફ એક બીજો વોટરફોલ પણ છે. એટલે કે તમે બન્ને વોટરફોલમાં મસ્તી કરી શકો છો. ચોમાસામાં આ જગ્યાએ જોવાલાયક છે.

Source: social-media

શંકર ધોધ

વલસાડ જિલ્લામાં આવેલા અનેક ધોધ વર્ષા ઋતુમાં સક્રિય થઈ જાય છે. ધરમપુર તાલુકામાં આવેલા અનેક ધોધ પણ સક્રિય થયા છે. અવિરત વરસાદ પડવાના કારણે અહીં શંકર ધોધ સક્રિય થાય છે.

Source: social-media

બરડા ધોધ

ડાંગ જિલ્લાના મુખ્ય મથક તરીકે જાણીતા આહવાથી મહાલ તરફ જતાં 10 કિલોમીટર દૂર આ ધોધ જોવા મળે છે. જ્યાંથી માત્ર 30 મિનિટનો રસ્તો છે. ચનખલ ગામથી પણ અહીં જઇ શકાય છે. ચનખલ ગામથી બરડા ધોધ જવા માટે ખેતરોમાં પંગદડીના માર્ગે ચાલતા જવું પડે છે.

Source: social-media

Source: iegujarati