રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી પોતાના કામમાં ખુબ જ વ્યસ્ત રહે છે તો પછી તેઓ પોતાના સ્વાસ્થ્યનું કેવી રીતે ધ્યાન રાખે છે.
મુકેશ અંબાણી પોતાને સ્વસ્થ રાખવા માટે પૌષ્ટિક આહાર ખાય છે. થોડા સમય પહેલા તેમનો વજન ખુબ જ વધી ગયો હતો.
મુકેશ અંબાણીએ કેટલીક ડાયેટની મદદથી જ પોતાનો 15 કિલો વજન ઘટાડ્યો હતો. તેમણે કોઈ કસરત કરી ન હતી. ચાલો તેના વિશે જાણીએ.
મુકેશ અંબાણી સવારે 5:30 પર ઉઠી જાય છે અને સૌથી પહેલા યોગા કરે છે. યોગાથી તેમની એકાગ્રતા વધે છે અને બોડી ફીટ રહે છે.
તેના પછી મુકેશ અંબાણી ચાલે છે. તેઓ પોતાના ઘરમાં જ થોડીવાર વોક કરે છે અને પછી સૂર્ય નમસ્કાર કરે છે.
નીતા અંબાણીએ જણાવ્યું હતું કે મુકેશ શાકાહારી ભોજન ખાય છે. તેઓ ઘરે બનેલું જમવાનું અને ખાસ કરીને ગુજરાતી વ્યંજન પસંદ કરે છે.
મુકેશ અંબાણી સવારના નાસ્તામાં ફળ, જ્યુસ, ઇડલી સંભાર ખાય છે. જે પેટ ભરે છે અને હેલ્દી રાખે છે.
મુકેશ અંબાણી લંચ-ડિનરમાં આખુ ભોજન કરે છે. લીલા શાકભાજી, દાળ, ચોખા, રોટલી સલાડ અને ઢોકળા.
વજન ઓછો કરવા માટે મુકેશ અંબાણી મસાલેદાર ભોજનથી દૂર રહેતા હતા. મસાલેદાર શાકભાજી અથવા ખાવાથી વજન ઝડપી વધે છે.
મુકેશ અંબાણી ઝંક ફૂડ અને દારુ જેવી વસ્તુઓથી ખુબ જ દૂર રહે છે. તે માત્ર શાકાહારી ખાવાનું ખાય છે અને હેલ્દી રહે છે.