Jul 31, 2025

ભારતના આ ગામમાં ઘૂસવાની હિંમત નથી કરતા ચોર, જાણો કેમ

Rakesh Parmar

કળિયુગના જમાનામાં એક એવું પણ ગામ છે જ્યાં કોઈની ચોરી કરવાની હિંમ્મત થતી નથી.

Source: social-media

તમને વિશ્વાસ નહીં થાય પરંતુ આવું ગામ ભારતમાં આવેલું છે. સાથ જ તમને આ ગામમાં કોઈ પણ ઘરને દરવાજો જોવા નહીં મળે.

Source: social-media

શનિ શિગણાપુર

આ ગામ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાનું શનિ શિગણાપુર છે. આ ગામમાં તમને કોઈ ઘરને દરવાજો જોવા નહીં મળે. તેમ છતાં ક્યારેય ચોરીની ઘટના સામે આવી નથી.

Source: social-media

લોકોમાં શ્રદ્ધા છે કે, શનિ દેવ તેમના ગામની રક્ષા કરે છે, તેથી લોકો ઘરને દરવાજો રાખતા નથી કે વાહનોને લોક પણ કરતા નથી.

Source: social-media

શનિદેવ

ગામના લોકો પોતાના ઘરમાં કોઈ કબાટ કે સૂટકેસ પણ રાખતા નથી. લોકો સોનાના આભૂષણો જેવી કિંમતી વસ્તુઓને કપડામાં ઢાંકીને ડબામાં મુકી દે છે. તેમનું માનવું છે કે તેમની રક્ષા શનિદેવ પોતે કરે છે.

Source: social-media

તેમનું કહેવું છે કે આ ગામ પર શનિ દેવતાની વિશેષ કૃપા છે. માટે આ ગામમાં ક્યારેય કોઈ ચોરની આવવાની હિંમ્મત થતી નથી.

Source: social-media

જો કોઈ ક્યારેય ચોરી કરે છે તો તેને શનિ દેવતા પોતે સજા આપે છે.

Source: social-media

ખાસ વાત એ છે કે અહીં આવેલી બેંકોમાં પણ દરવાજા નથી, જે આ ગામને વધુ ખાસ બનાવે છે.

Source: social-media

માન્યતાઓ અનુસાર, લોકો મોટા મેળાઓ દરમિયાન પણ તેમના ઘર ખુલ્લા રાખે છે અને કોઈ ચોરી થતી નથી. મહારાષ્ટ્રનું આ ગામ શનિ મંદિર માટે ખુબ જ પ્રસિદ્ધ છે.

Source: social-media

Source: social-media