ભારતના આ ગામમાં પૈસા વિના પણ રહી શકે છે લોકો

May 26, 2025, 04:06 PM

અલગ ધર્મ અને સભ્યતા

ભારત વિભિન્ન ધર્મો અને સભ્યતાઓનો દેશ છે. અહીં દરેક શહેર અને ગામની અલગ પરંપરા અને સુંદરતા તમને જોવા મળશે.

ખર્ચા વિનાનું ગામ

ખુબ જ ઓછા લોકો જાણતા હશે કે ભારતમાં એક એવું પણ ગામ છે, જ્યાં તમે પૈસા વિના રહી શકો છો અને ફરી શકો છો.

ના ધર્મ ના સરકાર

માત્ર પૈસા જ નહીં આ ગામમાં કોઈ ધર્મ જોવા મળતો નથી અને ના તો કોઈ સરકારનું શાસન છે. અહીં બધા લોકો પોતાના મન મરજીથી રહે છે.

કયું છે આ ગામ?

તમિલનાડુના ચેન્નાઇથી 150 કિલોમીટર વસેલું છે ઓરોવિલે ગામ. અમે આ ગામની જ વાત કરી રહ્યા છે, ચલો તમને જણાવીએ તેની વિશેષતા.

સ્થાપના

આ ગામની સ્થાપના વર્ષ 1968માં મીરા અલ્ફાજોએ કરી હતી. આ ગામને સિટી ઓફ ડોન પણ કહેવામાં આવે છે.

હેતું શું હતો?

આ ગામને વસાવવાનો હેતું એ હતો કે અહીં કોઈ પણ ધર્મ-જાતિ, ઉંચ-નીચ અથવા ભેદભાવ ન હોય.

રહેવા માટે શરત

ઓરોવિલે ગામ આવનારા લોકો પાસેથી પૈસા નહીં લેવામાં આવે પરંતુ એક શરત માનવાની રહેશે. અહીં આવનારા લોકોએ સેવક તરીકે રહેવાનું હોય છે.

માતૃમંદિર

આ ગામમાં વધારે મંદિર બનેલા નથી. માત્ર માતૃમંદિર બનાવવામાં આવ્યું છે, જે સુંદર છે. અહીં આધ્યાત્મિક અથવા એકાંતમાં યોગ કરવા માટે લોકો આવે છે.

કોઈ સરકાર નહીં

આ ગામ કોઈ પણ સરકાર વિના ચાલે છે. ઓરોવિલે ગામ એક વિધાનસભા દ્વારા નિયંત્રિત થાય છે. જેમાં વયસ્ક લોકો સામેલ છે. 900 લોકોની એક સભા તેને ચલાવે છે.

પૈસાનો ખર્ચ નહીં

આ ગામમાં કોઈ પૈસાની લેવડદેવડ નથી થતી અને ના તો પૈસા ચાલે છે. અહીંના લોકો બહારના લોકો સાથે રૂપિયાની લેવડદેવડ કરી શકે છે.