May 26, 2025

ભારતના આ ગામમાં પૈસા વિના પણ રહી શકે છે લોકો

Rakesh Parmar

અલગ ધર્મ અને સભ્યતા

ભારત વિભિન્ન ધર્મો અને સભ્યતાઓનો દેશ છે. અહીં દરેક શહેર અને ગામની અલગ પરંપરા અને સુંદરતા તમને જોવા મળશે.

Source: social-media

ખર્ચા વિનાનું ગામ

ખુબ જ ઓછા લોકો જાણતા હશે કે ભારતમાં એક એવું પણ ગામ છે, જ્યાં તમે પૈસા વિના રહી શકો છો અને ફરી શકો છો.

Source: social-media

ના ધર્મ ના સરકાર

માત્ર પૈસા જ નહીં આ ગામમાં કોઈ ધર્મ જોવા મળતો નથી અને ના તો કોઈ સરકારનું શાસન છે. અહીં બધા લોકો પોતાના મન મરજીથી રહે છે.

Source: social-media

કયું છે આ ગામ?

તમિલનાડુના ચેન્નાઇથી 150 કિલોમીટર વસેલું છે ઓરોવિલે ગામ. અમે આ ગામની જ વાત કરી રહ્યા છે, ચલો તમને જણાવીએ તેની વિશેષતા.

Source: social-media

સ્થાપના

આ ગામની સ્થાપના વર્ષ 1968માં મીરા અલ્ફાજોએ કરી હતી. આ ગામને સિટી ઓફ ડોન પણ કહેવામાં આવે છે.

Source: social-media

હેતું શું હતો?

આ ગામને વસાવવાનો હેતું એ હતો કે અહીં કોઈ પણ ધર્મ-જાતિ, ઉંચ-નીચ અથવા ભેદભાવ ન હોય.

Source: social-media

રહેવા માટે શરત

ઓરોવિલે ગામ આવનારા લોકો પાસેથી પૈસા નહીં લેવામાં આવે પરંતુ એક શરત માનવાની રહેશે. અહીં આવનારા લોકોએ સેવક તરીકે રહેવાનું હોય છે.

Source: social-media

માતૃમંદિર

આ ગામમાં વધારે મંદિર બનેલા નથી. માત્ર માતૃમંદિર બનાવવામાં આવ્યું છે, જે સુંદર છે. અહીં આધ્યાત્મિક અથવા એકાંતમાં યોગ કરવા માટે લોકો આવે છે.

Source: social-media

કોઈ સરકાર નહીં

આ ગામ કોઈ પણ સરકાર વિના ચાલે છે. ઓરોવિલે ગામ એક વિધાનસભા દ્વારા નિયંત્રિત થાય છે. જેમાં વયસ્ક લોકો સામેલ છે. 900 લોકોની એક સભા તેને ચલાવે છે.

Source: social-media

પૈસાનો ખર્ચ નહીં

આ ગામમાં કોઈ પૈસાની લેવડદેવડ નથી થતી અને ના તો પૈસા ચાલે છે. અહીંના લોકો બહારના લોકો સાથે રૂપિયાની લેવડદેવડ કરી શકે છે.

Source: social-media

Source: social-media