Jun 13, 2025

અમદાવાદ વિમાન દુર્ઘટનાની આખી કહાની, જુઓ તસવીરોમાં

Rakesh Parmar

વિમાન ક્રેશ

એર ઇન્ડિયા B787 ડ્રીમલાઇનર વિમાન અમદાવાદથી ગુરૂવારે બપોરે 1.38 વાગ્યે ઉડાન ભરી હતી અને ટેક-ઓફ કર્યાના માત્ર પાંચ મિનિટ પછી ક્રેશ થયું હતું.

Source: social-media

આગનો ગોળો

વિમાન ક્રેશ થતા જ તેમાં રહેલ 1.25 લાખ લિટર ઈંધણમાં આગ લાગી હતી અને આસપાસનો વિસ્તાર આગના ગોળમાં ફેરવાઈ ગયો હતો.

Source: social-media

પક્ષીઓના મોત

વિમાન ક્રેશની દુર્ઘટના એટલી ભયાનક હતી કે, આસપાસમાં રહેલા પશુ-પક્ષીઓ પણ તેનાથી બચી શક્યા ન હતા.

Source: social-media

મેઘાણીનગરમાં પ્લેન ક્રેશ

વિમાન ક્રેશ થતા જ બીજે મેડિકલના વિદ્યાર્થીઓ જમવાની થાળી છોડીને ભાગ્યા હતા. ત્યાં જ પ્લેન ક્રેશ થતા જ હોસ્ટેલની બિલ્ડીંગ આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. કેન્ટીનની અંદર સુધી વિમાનના કેટલાક ભાગો ઘૂસી ગયો હતો.

Source: social-media

રેસ્ક્યૂ ઓપરેશન

ઘટના બાદ અમદાવાદ ફાયર વિભાગ, પોલીસ અને સ્થાનિક અધિકારી તેમજ લોક કાર્યકર્તાઓ રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાઇ ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.

Source: social-media

265 લોકોના મોત

ગુરુવારે બપોરે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 ક્રેશ થયા બાદ લગભગ 265 મૃતદેહોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

Source: social-media

મૃતદેહોનો ઢગલો

આ મૃતદેહો એવી હાલતમાં હતા કે સગાઓ તેમને ઓળખી પણ શકે નહીં, તેમજ મૃતકોના શરીરના ટુકડા થઈ ગયા હતા જેને રેસ્ક્યૂ ટીમે એકઠા કર્યા હતા.

Source: social-media

વિદેશી નાગરિકોના મોત

આ વિમાનમાં 230 મુસાફરો અને 12 કેબિન ક્રૂ હતા, જેમાં સવાર મુસાફરોમાંથી 169 ભારતીય, 53 બ્રિટિશ મુસાફરો હતા. આ ઉપરાંત, એક મુસાફર કેનેડાનો અને સાત પોર્ટુગલના હતા.

Source: social-media

બિલ્ડિંગ પર વિમાન

વિમાનમાં સવાર લોકોની સંખ્યા કરતા મૃતકોની સંખ્યા વધુ છે કારણ કે વિમાન એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડી મિનિટો પછી મેડિકલ કોલેજ કેમ્પસમાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં મેડિસિનનો અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓના પણ મોત થયા છે.

Source: social-media

એક વ્યક્તિ જીવિત

આ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા વ્યક્તિ સીટ નંબર 11A પર હતો. આ સીટ બિઝનેસ ક્લાસ સીટ પછી ઇકોનોમી ક્લાસ સીટની પહેલી હરોળમાં હતી. આ ઉપરાંત આ સીટ એક્ઝિટ લાઇનની ખૂબ નજીક હતી. ફ્લાઇટમાં બચી ગયેલા વ્યક્તિની ઓળખ 40 વર્ષીય રમેશ વિશ્વાસ કુમાર તરીકે થઈ છે.

Source: social-media

ડોક્ટર દંપતિનું બાળકો સહિત મોત

અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના એક ડોક્ટર પરિવારનો ભોગ લેવાયો છે. આ અકસ્માતમાં ડોક્ટર દંપતી અને તેમના ત્રણ માસૂમ બાળકોનું મોત નીપજ્યું હતું. ડોક્ટર પરિવારમાં હવે ફક્ત તેમના માતા-પિતા જ બચ્યા છે.

Source: social-media

પીએમ મોદી અમદાવાદ પહોંચ્યા

પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ અમદાવાદની હોસ્પિટલમાં ઘાયલ મુસાફરને મળ્યા હતા. અને મૃતક પરિવારોના સ્વજનોને સાંત્વના પાઠવી હતી.

Source: social-media

પ્લેન ક્રેશનું DVR મળ્યું

અમદાવાદ એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયા બાદ વિમાનમાંથી DVR મળી આવ્યું છે, જેની તપાસ બાદ આ દુર્ઘટના કેમ થઈ તે અંગે જાણકારી મળી શકે છે.

Source: social-media

Source: freepik