પરમાણુ હુમલામાં સુરક્ષિત માનવામાં આવે છે આ 5 દેશ, જાણો કેમ?

May 14, 2025, 06:12 PM

પરમાણુ યુદ્ધ

પરમાણુ યુદ્ધની આશંકા આખી દુનિયા માટે ચિંતાનો વિષય છે. પરંતુ કેટલાક દેશ પોતાની ભૌગોલિક સ્થિતિ, રક્ષા તંત્ર અને તટસ્થતાના કારણે પરમાણુ હુમલામાં સૌથી સુરક્ષિત માનવામાં આવે છે.

વૈશ્વિક ખતરો

પરમાણુ હુમલો ન માત્ર લક્ષિત ક્ષેત્ર, પરંતુ આખી દુનિયાને પ્રભાવિત કરી શકે છે. રેડિએશન, જળવાયુ પરિવર્તન અને ખાદ્ય સંકટ સંકટ તેના લાંબા ગાળાના પ્રભાવો છે.

પરમાણુ હુમલામાં સુરક્ષિત દેશ

આજે અમે તમને દુનિયાના 5 અવા દેશો વિશે જણાવીશુ, જેને પરમાણુ હુમલાથી બચવા માટે સૌથી સુરક્ષિત માનવામાં આવે છે.

ન્યૂઝીલેન્ડ

ન્યૂઝીલેન્ડ પોતાની દુરસ્થ ભૌગોલિક સ્થિતિના કારણે પરમાણુ હુમલાથી સુરક્ષિત છે. પ્રશાંત મહાસાગરમાં સ્થિત આ દેશ સૈન્ય સંઘર્ષોથી દૂર અને તટસ્થ નીતિ અપનાવે છે.

સ્વિટ્ઝરલેન્ડ

સ્વિટ્ઝરલેન્ડની તટસ્થ નીતિ, પર્વતિય સ્થિતિ અને મજબૂત બંકર સિસ્ટમ તેને પરમાણુ હુમલાથી સુરક્ષિત બનાવે છે. દેશમાં દરેક નાગરિક માટે પરમાણુ બંકર ઉપલબ્ધ છે.

આઈસલેન્ડ

ઉત્તરી એટલાંટિકમાં સ્થિત આઈસલેન્ડની કોઈ સેના નથી અને તે ભૂ-રાજનૈતિક તણાવોથી દૂર છે. તેની ઓછી આબાદી અને દૂરસ્થ સ્થાન તેને પરમાણુ હુમલાનો ટાર્ગેટ બનતા બચાવે છે.

ભૂટાન

હિમાલયના ખોળામાં વસેલું ભૂટાન પોતાની શાંતિપૂર્ણ નીતિ અને સૈન્ય તટસ્થતા માટે ઓળખાય છે. તેની ઓછી વસ્તી અને સીમિત આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપ તેને પરમાણુ હુમલાથી સુરક્ષિત રાખે છે.

ચિલી

ચિલીની લાંબી તટરેખા અને એંડીઝ પર્વત તેને પરમાણુ હુમલાથી બચાવવામાં મદદ કરે છે. તેની સ્થિર અર્થવ્યવસ્થા અને દક્ષિણ અમેરિકામાં સૈન્ય તટસ્થતા તેને સુરક્ષિત બનાવે છે.

સુરક્ષાના કારણો

આ દેશ પોતાની ભૌગૌલિક સ્થિતિ, તટસ્થ નીતિઓ અને આત્મનિર્ભર સંસાધનોના કારણે સુરક્ષિત છે. ઓછી વસ્તી, મજબૂત માળખાકીય પાયો અને સૈન્ય સંઘર્ષોથી દૂરી તેમને ન્યૂક્લિયર અટેકથી બચાવે છે.

શાંતિ અને સુરક્ષાનો રસ્તો

ન્યૂઝીલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ, આઈસલેન્ડ, ભૂટાન અને ચિલી પોતાની અનોખી વિશેષતાઓના કારણે પરમાણુ હુમલાથી સુરક્ષિત માનવામાં આવે છે.