ભારતમાં મોટા ભાગના લોકો શાકાહારી ભોજન પસંદ કરે છે.
શાકાહારી ભોજનમાં ડુંગળીનું હોવું ખુબ જ જરૂરી હોય છે.
સામાન્ય રીતે લોકો શાકભાજીમાં ડુંગળીનો ઉપયોગ કરે છે.
આ સિવાય સલાડમા પણ ડુંગળી ખાવામાં આવે છે.
જોકે ભારતમાં જ એક એવી જગ્યા છે, જ્યાં ડુંગળી નથી મળતી.
અહીં ડુંગળી ખરીદવાથી લઈ વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
અમે જે જગ્યાની વાત કરી રહ્યા છીએ તે જમ્મૂ-કાશ્મીરમાં આવેલ છે.
આ જગ્યા કોઈ અન્ય નહીં પરંતુ કટરા છે. કટરાથી માં વૈષ્ણો દેવીની યાત્રાનો પ્રારંભ થાય છે.
શ્રદ્ધાળુંઓની શુદ્ધતાને ધ્યાનમાં રાખતા અહીં ડુંગળી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.