Mar 20, 2025
ટેટૂનો ક્રેઝ ઓછો નથી થઈ રહ્યો. લોકો પોતાના શરીર પર ભગવાનનું પણ ટેટૂ કોતરાવી રહ્યા છે.
પરંતુ શું ભગવાનનું ટેટૂ શરીર પર કોતરાવવું જોઈએ? ચલો તેનો જવાબ પ્રેમાનંદ મહારાજ પાસેથી જાણીએ.
પ્રેમાનંદ મહારાજનું કહેવું છે કે દેવી-દેવતાઓના નામમાં જ ઘણી શક્તિ હોય છે.
જે લોકો નિયમિતરૂપે ભગવાનના નામનો જાપ કરે છે, તેમને પાપોમાંથી મુક્તિ મળી જાય છે.
પ્રેમાનંદ મહારાજે કહ્યું કે શરીરના કોઈ પણ અંગ પર દેવી-દેવતાઓના નામનું ટેટૂ અથવા તેમનું ચિત્ર ટેટૂના રૂપમાં ના બનાવવું જોઈએ.
તેઓનું કહેવું છે કે આવું કરવાથી તમે ક્યાંક ને ક્યાંક પાપના ભાગીદારી બની શકો છો.
તેમનું કહેવું છે કે જ્યારે વ્યક્તિ સ્નાન કરે છે, તો તે સમયે તે પાણી તે ટેટૂ પર થઈને તેના પગ પર જશે.
પ્રેમાનંદ મહારાજ કહે છે કે તેથી તે નામનું અપમાન થશે અને વ્યક્તિને પાપ લાગશે.
આથી તમે જાણતા કે અજાણતા ભગવાનનું અપમાન કરી રહ્યા છો, જેના કારણે વ્યક્તિને તેમના ક્રોધનો પણ સામનો કરવો પડી શકે છે.
આ જાણકારી માત્ર માન્યતાઓ, ધાર્મિક ગ્રંથો અને વિભિન્ન માધ્યમો પર આધારિત છે. કોઇ પણ જાણકારીને માનતા પહેલા વિશેષજ્ઞની સલાહ જરૂરથી લેવી.