સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે મહાદેવની પૂજા કરવાથી મનની દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે.
તો આવો જાણીએ કે શિવલિંગ પર સૌથી પહેલા શું ચઢાવવું જોઈએ.
ધાર્મિક માન્યતાઓ અનુસાર, શિવલિંગ પર સૌથી પહેલા જળાભિષેક કરવો જોઇએ.
શિવલિંગ પર જળાભિષેક કરતા સમયે 'ॐ નમ: શિયાવ;' મંત્રનો જાપ પણ જરૂરથી કરો.
જળાભિષેક કર્યા બાદ શિવલિંગ પર બેલપત્ર ચઢાવો.
તેના પછી સફેદ ફૂલ અને ધતૂરાને શિવલિંગ પર અર્પિત કરો.
આ સિવાય શિવલિંગ પર દૂધ, દહીં અને મધ ચઢાવવું પણ શુભ માનવામાં આવે છે.
શ્રાવણમાં શિવ ભક્તો શિવલિંગ પર અલગ-અલગ પદાર્થોથી અભિષેક કરતા હોય છે.
દરેક પદાર્થનું પોતાનું અલગ મહત્ત્વ હોય છે અને તેને અર્પિત કરવાથી અલગ-અલગ ફળની પ્રાપ્તિ થાય છે.