છત્તીસગઢ રાજ્યમાં માઓવાદીઓનો આતંક, અહીં કેમ થાય છે વારંવાર હુમલા?
April 27, 2023 08:15 IST
છત્તીસગઢ (Chhattisgarh) : છત્તીસગઢ મધ્ય પ્રદેશ (Madhya Pradesh) રાજ્યમાંથી વિભાજીત થઇ 1 નવેમ્બર 2000 થી અલગ રાજ્ય તરીકે અમલમાં આવ્યું. છત્તીસગઢ મધ્ય ભારતનું જંગલથી ઘેરાયેલું (heavily forested state) કુદરતી સંપત્તિથી સમૃધ્ધ રાજ્ય છે. છત્તીસગઢ મંદિરો અને વોટરફોલ (temples and waterfalls) રાજ્ય તરીકે ઓળખાય છે. છત્તીસગઢનું પાટનગર રાયપુર (Raipur) છે જે મહાનંદા નદી (Mahanadi River) કિનારે આવેલું શહેર છે. છત્તીસગઢ રાજ્યના મુખ્યમંત્રી તરીકે ભુપેશ બઘેલ ઘણા જાણીતા છે. છત્તીસગઢ રાજ્ય પ્રવાસન (Tourism), ઇતિહાસ (History), સંસ્કૃતિ મામલે ઘણું પ્રચલિત છે.