Advertisment
FE Budget 2026
Co-presented by
KIA
Associate Sponsor
SBI
સબ્સ્ક્રાઈબ કરો
  • હોમ
  • ગુજરાત
  • વેબસ્ટોરીઝ
  • મનોરંજન
  • કરિયર
  • સ્પોર્ટ્સ
  • ધર્મ અને જ્યોતિષ
  • ન્યૂઝ
  • વેપાર
  • ફોટો
  • લાઇફ સ્ટાઇલ
  • ટોપ ન્યૂઝ
ad_close_btn
  • ગુજરાત
  • નેશનલ ન્યૂઝ
  • મનોરંજન
  • વિશ્વ
  • સ્પોર્ટ્સ
  • લાઇફ સ્ટાઇલ
  • Photos
  • કરિયર
  • ધર્મ અને જ્યોતિષ
  • વેપાર

Powered by :

તમે સફળતાપૂર્વક ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કર્યું છે.
વેપાર Top News

Bank Rules : 1 નવેમ્બરથી લાગુ થશે બેંકના નવા નિયમ, દરેક ખાતાધારક પર થશે સીધી અસર

Bank Account Nomination New Rules Form 1 November : આરબીઆઈ 1 નવેમ્બરથી બેંક ખાતા, લોકર અને સેફ કસ્ટડી માટે 1 નવેમ્બર, 2025થી નવા નિયમ લાગુ કરી રહ છે. જેનાથી બેંક કસ્મટરને તેમના ખાતાઓ અને લોકર્સમાં પહેલા કરતાં વધુ સુગમતા અને પારદર્શિતા મળશે.

Written byAjay Saroya

Bank Account Nomination New Rules Form 1 November : આરબીઆઈ 1 નવેમ્બરથી બેંક ખાતા, લોકર અને સેફ કસ્ટડી માટે 1 નવેમ્બર, 2025થી નવા નિયમ લાગુ કરી રહ છે. જેનાથી બેંક કસ્મટરને તેમના ખાતાઓ અને લોકર્સમાં પહેલા કરતાં વધુ સુગમતા અને પારદર્શિતા મળશે.

author-image
Ajay Saroya
24 Oct 2025 09:07 IST
પર અપડેટ કર્યું 24 Oct 2025 09:40 IST

Follow Us

New Update
bank | bank new rules | bank rule changes | bank news

Bnak : બેંક ખાતાના નિયમ બદલાયા છે. (Photo: Freepik)

Bank Rules Changes : 1 નવેમ્બર, 2025 થી બેંક સંબંધિત અમુક નિયમમાં મોટા ફેરફારા થઇ રહ્યા છે, જે તમામ ખાતાધારકોને સીધા જ અસર કરે છે. નાણા મંત્રાલયે બેંકિંગ કાયદા સુધારા અધિનિયમ, 2025 હેઠળ ઘણી જોગવાઈઓ લાગુ કરવાની જાહેરાત કરી છે. સૌથી મહત્વપૂર્ણ ફેરફાર બેંક ખાતાઓ, લોકર્સ અને સેફ કસ્ટડી માટે નોમિનેશન સિસ્ટમ સાથે સંબંધિત છે. હવે, ગ્રાહકોને તેમના ખાતાઓ અને લોકર્સમાં પહેલા કરતાં વધુ સુગમતા અને પારદર્શિતા મળશે.

Advertisment

નવા નિયમો શું છે અને તે ક્યારે લાગુ થશે?

નાણા મંત્રાલયે 23 ઓક્ટોબર, 2025 ના રોજ એક જાહેરનામું બહાર પાડ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે આ કાયદાની કલમ 10, 11, 12 અને 13 1 નવેમ્બર, 2025 થી અમલમાં આવશે. આ નિયમોનો ઉદ્દેશ્ય બેંકિંગ સિસ્ટમમાં નિયમને મજબૂત બનાવવા, RBI ને રિપોર્ટિંગમાં એકરૂપતા લાવવા, થાપણદારોની સુરક્ષા વધારવા અને ગ્રાહક સુવિધામાં સુધારો કરવાનો છે.

બેંકિંગ કાયદા (સુધારા) અધિનિયમ, 2025 માં કુલ 19 સંશોધન સામેલ છે, તે પાંચ મુખ્ય કાયદાઓમાં સાથે જોડાયેલા છે, જે આ મુજબ છે:

  • ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 (Reserve Bank of India Act, 1934)
  • બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949(Banking Regulation Act, 1949)
  • સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1955 (State Bank of India Act, 1955)
  • બેંકિંગ કંપની અધિગ્રહણ અને ટ્રાન્સફર એક્ટ (Banking Companies Acquisition and Transfer of Undertakings Act) 1970 और 1980
Advertisment

બેંક ખાતાધારક નોમિની માટે 1 નહીં 4 નામ લખી શકશે

અત્યાર સુધી, બેંક ખાતાઓમાં ફક્ત એક જ વ્યક્તિને નોમિનેટ કરી શકાતું હતું, પરંતુ 1 નવેમ્બરથી આ નિયમ બદલાશે. નવી જોગવાઈ હેઠળ, બેંક ખાતાધારક હવે એક જ ખાતા માટે ચાર લોકોને નોમિનેટ કરી શકશે. જો ગ્રાહકો ઈચ્છે, તો તેઓ એક સાથે ચારેય લોકોને નોમિનેટ કરી શકે છે (એક સાથે નોમિનેશન). અથવા તેઓ એક પછી એક (ક્રમિક નોમિનેશન) પણ નોમિનેટ કરી શકે છે. આનાથી પારદર્શિતા તો વધશે જ, સાથે સાથે કોઈપણ અનિચ્છનીય ઘટનાના કિસ્સામાં દાવાની પતાવટ પ્રક્રિયા પણ ઘણી સરળ બનશે.

નવી સિસ્ટમ કેવી રીતે કાર્ય કરશે

સિમલટેનિયસ નોમિનેશન હેઠળ, ગ્રાહક તેમના ખાતા અથવા ડિપોઝિટ માટે ચાર વ્યક્તિઓને નોમિનેટ કરી શકે છે, અને દરેક વ્યક્તિને નિશ્ચિત ટકાવારી (દા.ત., 40%, 30%, 20%, 10%) સોંપી શકે છે, આમ કુલ 100% હિસ્સો સુરક્ષિત થાય છે.

સક્સેસિવ નોમિનેશનમાં, ગ્રાહકો ક્રમમાં ચાર લોકોના નામ આપી શકે છે. જો પ્રથમ નોમિનીનું મૃત્યુ થાય છે, તો બીજો નોમિની પાત્ર રહેશે, વગેરે. આ વ્યવસ્થા લોકર અને સેફ કસ્ટડી જેવી સુવિધાઓ પર પણ લાગુ પડે છે.

નવા નિયમો લોકર અને સેફ કસ્ટડી પર પણ લાગુ થશે.

પહેલાં, નોમિનેશન પ્રક્રિયા લોકરમાં રહેલી વસ્તુઓ અથવા સેફ કસ્ટડી સુધી મર્યાદિત હતી. હવે, સરકારે આ સેવાઓમાં સુધારો કર્યો છે અને સ્પષ્ટતા કરી છે કે લોકર અને સેફ કસ્ટડી માટે ફક્ત ક્રમિક નોમિનેશનની મંજૂરી આપવામાં આવશે. આનો અર્થ એ છે કે જો પ્રથમ નોમિનીનું અવસાન થાય છે, તો પછીનો નોમિની આપમેળે મિલકતનો વારસો મેળવશે.

ખાતાધારકને શું ફાયદો થશે?

આ ફેરફારોનો સીધો લાભ સામાન્ય બેંક કસ્ટમરને થશે. જ્યારે અગાઉ, નોમિનેશન ક્લેમ ઘણીવાર વિવાદ અથવા વિલંબને આધિન રહેતા હતા, હવે પ્રક્રિયા વધુ પારદર્શક અને સુસંગત બનશે. વધુમાં, ગ્રાહકોને તેમના ખાતા, થાપણો અને લોકર્સ માટે પોતાના નોમિનેશન નિયુક્ત કરવાની સુગમતા મળશે.

નોમિનેશન સુવિધા શું છે અને તે શા માટે મહત્વપૂર્ણ છે?

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અનુસાર, નોમિનેશન સુવિધા બધા ડિપોઝિટ ખાતાઓ, સેફ કસ્ટડી અને લોકર સેવાઓ માટે ઉપલબ્ધ છે. તે ફક્ત વ્યક્તિગત ખાતાઓ (સિંગલ/જોઈન્ટ/માલિકી) માટે લાગુ પડે છે.

આરબીઆઇ બેંક બિઝનેસ
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો
logo

સંબંધિત લેખો
આગળનો લેખ વાંચો
નવીનતમ વાર્તાઓ
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો

Powered by


Subscribe to our Newsletter!




Powered by
એક ભાષા પસંદ કરો
Gujarati

આ લેખ શેર કરો

જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો
તેઓ પછીથી તમારો આભાર માનશે

Facebook
Twitter
Whatsapp

Copied!