બજેટ 2024 : મોદી સરકારના બજેટમાં સબસિડી ખર્ચમાં સતત ઘટાડો, જાણો ક્યા - કેટલો સબસિડી કાપ મૂક્યો

Budget 2024 Subsidy Expenditure : બજેટ 2024 મોદી સરકાર 2.0નું છેલ્લું બજેટ છે. ફૂડ સબસિડી બિલમાં વધારો થવા છતાં મોદી સરકાર પોતાના કુલ ખર્ચમાં સબસિડીનો હિસ્સો અંકુશમાં રાખવામાં સફળ રહી છે.

Budget 2024 Subsidy Expenditure : બજેટ 2024 મોદી સરકાર 2.0નું છેલ્લું બજેટ છે. ફૂડ સબસિડી બિલમાં વધારો થવા છતાં મોદી સરકાર પોતાના કુલ ખર્ચમાં સબસિડીનો હિસ્સો અંકુશમાં રાખવામાં સફળ રહી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Budget 2024 Expectations: બજેટ 2024માં કરમુક્ત આવક મર્યાદા વધશે? જાણો પગારદાર વર્ગની શું છે બજેટ અપેક્ષા

બજેટ 2024 (Budget 2024) : બજેટમાં ખાતર અને ફૂડ પાછળ સૌથી વધુ સબસિડી ખર્ચ થાય છે.

Budget 2024 Subsidy Expenditure : બજેટ 2024 એ નાણાં મંત્રી નિર્મલા સીતારામનનું છઠ્ઠું બજેટ હશે. દેશના બજેટમાં સબસિડીએ હંમેશા મોટી ભૂમિકા ભજવી છે. મોદી સરકારના કાર્યકાળમાં પણ બજેટમાં સબસિડીનો હિસ્સો નોંધપાત્ર રહ્યો છે. પરંતુ છેલ્લા 10 વર્ષના આંકડા દર્શાવે છે કે આ સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકારના સબસિડી માળખામાં ઘણો ફેરફાર થયો છે.

Advertisment

મતલબ કે ઘણી એવી વસ્તુઓ છે જેના પર પહેલા સરકારી સબસિડીનો મોટો હિસ્સો ખર્ચ થતો હતો, પરંતુ હવે તેમાં મોટો ઘટાડો થયો છે. તો બીજી બાજુ કેટલીક ચીજો એવી છે જેનો કુલ સબસિડીમાં હિસ્સો નોંધપાત્ર રીતે વધ્યો છે.

કેન્દ્રીય બજેટમાં સબસિડીનો હિસ્સોઃ 10 વર્ષના આંકડા પર નજર

બજેટ 2024 સંબંધિત ડેટા પર નજર કરીએ તો ખબર પડે છે કે મોદી સરકારના કાર્યકાળ દરમિયાન ખાદ્ય અને ખાતર સબસિડી પર સરકારના કુલ ખર્ચમાં ઝડપથી વધારો થયો છે. તેમ છતાં સરકારના કુલ ખર્ચમાં સબસિડીનો હિસ્સો ઘટ્યો છે. તેનું સૌથી મોટું કારણ સબસિડીના માળખામાં ફેરફાર છે.

સંકટ વચ્ચે પણ બજેટમાં સબસિડી બિલ નિયંત્રણમાં

યુપીએ સરકારના કાર્યકાળના છેલ્લા વર્ષ એટલે કે નાણાકીય વર્ષ 2013-14 દરમિયાન કેન્દ્ર સરકારના કુલ ખર્ચમાં સબસિડીનો હિસ્સો 16.3 ટકા હતો. જે નાણાકીય વર્ષ 2014-15ના અંતે એટલે કે મોદી સરકારના પ્રથમ કાર્યકાળના પ્રથમ વર્ષના અંતે ઘટીને 15.3% પર આવી ગયું. આ પછી પણ તેમાં સતત ઘટાડો થતો રહ્યો અને પ્રથમ કાર્યકાળના છેલ્લા વર્ષ એટલે કે નાણાકીય વર્ષ 2018-19 સુધીમાં તે ઘટીને 9.6% પર આવી ગયો.

Advertisment
Budget 2024 Expectations | indian budget facts | Budget 2024 Expectations | Nirmala Sitharaman | nirmala sitharaman budget 2024 | Budget 2024 News | Budget 2024 Photo
નાણાં મંત્રી નિર્મલા સીતારમન 1 ફેબ્રુઆરીના રોજ સંસંદમાં બજેટ રજૂ કરશે. (Photo - Freepik)

આ પછી, કોવિડ મહામારીને કારણે તે 2020-21માં ઝડપથી વધીને 22% થઈ ગયું. પરંતુ આ પછી સરકારે ઝડપથી તેના પર નિયંત્રણ કર્યું અને નાણાકીય વર્ષ 2023-24માં તે લગભગ 9% રહેવાનો અંદાજ છે. જો કે, સંસદના છેલ્લા સત્રમાં, સરકારે ભોજન, એલપીજી અને ખાતર સબસિડીના ખર્ચ હેઠળ રૂ. 28,630.80 કરોડના વધારાના ખર્ચનો પ્રસ્તાવ પસાર કર્યો છે. તેમ છતાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ ખર્ચ ઉમેરવા છતાં, સરકારના કુલ ખર્ચમાં સબસિડીનો હિસ્સો 9.5% થી વધુ નહીં હોય.

પેટ્રોલિયમ સબસિડીમાં મોટો કાપ

હકીકતમાં, મોદી શાસન દરમિયાન, જ્યારે કેન્દ્ર સરકારના કુલ સબસિડી બિલમાં ખાદ્ય અને ખાતર સબસિડીનો હિસ્સો વધ્યો છે, ત્યારે પેટ્રોલિયમ સબસિડીનો હિસ્સો લગભગ નજીવો રહ્યો છે. નાણાકીય વર્ષ 2013-14માં સરકારના કુલ સબસિડી બિલમાં ખાતરનો હિસ્સો 26.4%, ફૂડનો હિસ્સો 36.1% અને પેટ્રોલિયમનો હિસ્સો 33.5% હતો.

નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન, કુલ સબસિડી બિલમાં ફૂડનો હિસ્સો વધીને 47.7% અને ખાતરનો હિસ્સો 44% થયો, જ્યારે પેટ્રોલિયમ સબસિડીનો હિસ્સો ઘટીને માત્ર 1.2% થયો. આ જ કારણ છે કે ખાદ્ય સબસિડીમાં ઝડપથી વધારો થવા છતાં સરકારના કુલ ખર્ચમાં સબસિડીનો હિસ્સો ઘણા અંશે અંકુશમાં રહે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવને બજાર સાથે જોડવું આ ફેરફારનું મુખ્ય કારણ છે.

ફૂડ સબસિડી કેમ વધી?

મોદી સરકારના કાર્યકાળ દરમિયાન ફૂડ સબસિડી બિલમાં ઝડપથી વધારો થવાના બે મુખ્ય કારણો છે: 1. 2013માં પસાર થયેલા નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ (NFSA)ને કારણે ફૂડ સબસિડીમાં વધારો. અને 2. કોવિડ-19ને કારણે મફત અનાજના વિતરણ પર થયેલો મોટો ખર્ચ. સૌ પ્રથમ, ચાલો આપણે ખાદ્ય સબસિડીમાં વધારાનું પ્રથમ કારણ જોઈએ. નાણાકીય વર્ષ 2013-14 થી 2022-23 વચ્ચે કેન્દ્ર સરકારનું ફૂડ સબસિડી બિલ રૂ. 92,000 કરોડથી વધીને રૂ. 2.7 લાખ કરોડ થયું હતું. તેનો અર્થ એ કે આ સમયગાળા દરમિયાન ખાદ્ય સબસિડીનો વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) 11.5% હતો. પરંતુ NFSA ના અમલીકરણ પછી, નાણાકીય વર્ષ 2013-14 થી 20115-16 દરમિયાન ખાદ્ય સબસિડીમાં વૃદ્ધિની ગતિ વાર્ષિક 18% સુધી પહોંચી.

Budget 2024 | budget 2024 expectations | nirmala sitharaman | nirmala sitharaman Budget 2024 | Income Tax Slab | Budget 2024 nirmala sitharaman | Budget 2024 Tax rules
Budget 2024 : બજેટ 2024માં કરદાતાઓને ઇન્કમ ટેક્સ સ્લેબમાં રાહત મળવાની અપેક્ષા છે. (Photo - igGujarati.com)

કોવિડ 19ને કારણે ફૂડ સબસિડી બિલ લિમિટની બહાર ગયું

હવે ફૂડ સબસિડી વધારવાના બીજા કારણ વિશે વાત કરીએ. નાણાકીય વર્ષ 2016-17 અને 2018-19 દરમિયાન, મોદી સરકારે ખાદ્ય સબસિડીને અમુક હદ સુધી નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો, જેના કારણે આ સમયગાળા દરમિયાન તેની વાર્ષિક વૃદ્ધિ 10% હતી. પરંતુ કોવિડ રોગચાળા દરમિયાન, સરકારે બજેટમાં PM ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) ની જાહેરાત કરવી પડી. આની અસર એ થઈ કે સબસિડી બિલ જે નાણાકીય વર્ષ 2018-19માં 1 લાખ કરોડ રૂપિયા હતું, તે નાણાકીય વર્ષ 2019-20માં વધીને 1.1 લાખ કરોડ રૂપિયા અને 2020-21માં 5.4 લાખ કરોડ રૂપિયા થઈ ગયું. તેનું એક કારણ એ છે કે કેલેન્ડર વર્ષ 2022 ના અંત સુધી, લાભાર્થીઓને PMGKAY હેઠળ મફત અનાજ તેમજ સરકાર તરફથી NFSA હેઠળ સસ્તું અનાજ મળતું હતું. એટલે કે બેવડો ફાયદો થયો.

આ પણ વાંચો | બજેટ 2024 : કરદાતાઓની Budget 2024માં ઇન્કમ ટેક્સ સ્લેબ અને સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારવા માંગ

બે યોજનાના મર્જરથી અંકુશમાં આવ્યું ફૂડ સબસિડી બિલ

સરકારે જાન્યુઆરી 2023 થી PMGKAY અને NFSA ને મર્જ કરીને નાણાકીય વર્ષ 2021-22 માં ફૂડ સબસિડી બિલને ઘટાડીને 2.9 લાખ કરોડ રૂપિયા કરી દીધું. 2022-23માં તે ઘટીને રૂ. 2.7 લાખ કરોડ થશે. આ પછી, નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન, મોદી સરકારે તેને ઘટાડીને 2 લાખ કરોડ રૂપિયા કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. પરંતુ ચૂંટણીના વર્ષમાં પીએમ મોદીએ PMGKAYને વધુ 5 વર્ષ લંબાવવાની જાહેરાત કરી હતી. સંસદના છેલ્લા સત્રમાં આ માટે વધારાનું બજેટ પણ મંજૂર કરવામાં આવ્યું છે. જેના કારણે માર્ચ 2024માં પૂરા થતા નાણાકીય વર્ષમાં ફૂડ સબસિડીનો વાસ્તવિક આંકડો અગાઉના બજેટના અંદાજ કરતા વધુ હોવાની સંભાવના છે. પરંતુ સબસિડીના વાસ્તવિક આંકડા 1 ફેબ્રુઆરી, 2024ના રોજ જ જાણી શકાશે, જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારામન વચગાળાનું બજેટ રજૂ કરશે.

budget 2024 મારૂ બજેટ નિર્મલા સીતારમણ ટ્રેન્ડિંગ ન્યૂઝ બિઝનેસ