Budget 2025 farmers benefits: બજેટ 2025 ખેડૂતોને શું મળ્યું? કિસાન ક્રેડિટ કાર્ડ, ધન ધાન્ય યોજના અંગે કરાઇ મોટી જાહેરાત

Budget 2025 PM Dhan Dhanya Yojana : નાણામંત્રીએ બજેટમાં ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની જાહેરાત કરી છે. કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી

Budget 2025 PM Dhan Dhanya Yojana : નાણામંત્રીએ બજેટમાં ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની જાહેરાત કરી છે. કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Agriculture, Budget 2025 Agriculture, Budget 2025

Budget 2025 Agriculture : નાણામંત્રીએ બજેટમાં ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની જાહેરાત કરી

Budget 2025 Agriculture, PM Dhan Dhanya Yojana : નાણામંત્રીએ બજેટમાં ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની જાહેરાત કરી છે. સરકાર રાજ્યો સાથે મળીને આ યોજના ચલાવશે. આ યોજનાથી 1.7 કરોડ ખેડૂતોને મદદ મળશે. નિર્મલા સીતારમણે કહ્યું કે ગરીબો, યુવાનો, મહિલાઓ અને ખેડૂતોના કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કૃષિ વિકાસ, ગ્રામીણ વિકાસ અને ઉત્પાદન પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

Advertisment

ધન ધાન્ય યોજના 100 જિલ્લાઓમાં શરૂ થશે

તેમણે કહ્યું કે આ ઉપરાંત અમે નાણાકીય ક્ષેત્રમાં સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરીશું. ધનધાન્ય યોજના 100 જિલ્લાઓમાં શરૂ થઈ રહી છે. તેમજ કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ પહેલા આ મર્યાદા 3 લાખ રૂપિયાની હતી.

બિહારના ખેડૂતો માટે મખાના બોર્ડની રચનાનો પ્રસ્તાવ

નાણામંત્રીએ કહ્યું કે આ યોજના હેઠળ, કૃષિ ઉત્પાદન વધારવા માટે રાજ્યો સાથે મળીને એક નીતિ તૈયાર કરવામાં આવશે. આ સિવાય કઠોળમાં આત્મનિર્ભરતા માટે નવી નીતિની પણ જાહેરાત કરવામાં આવી છે. બિહારના ખેડૂતો માટે ખાસ પગલાં લેતા મખાના બોર્ડની રચનાનો પ્રસ્તાવ પણ મુકવામાં આવ્યો છે.

આ પણ વાંચો - ભારતનું સૌથી લાંબુ અને ટૂંકું બજેટ ભાષણ, જાણો આ રેકોર્ડ કયા નાણામંત્રીના નામે છે?

Advertisment

નાણામંત્રીએ કહ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં સમૃદ્ધિ લાવવા માટે રાજ્ય સરકારો સાથે મળીને નવી નીતિઓ ઘડવામાં આવશે જેથી કૃષિ ઉત્પાદનમાં સુધારો થઈ શકે અને ખેડૂતોની આવક વધી શકે.

કેન્દ્ર સરકારે કૃષિ ઉત્પાદન વધારવા માટે 100 જિલ્લાઓમાં એક ખાસ યોજના લાગુ કરવાની જાહેરાત કરી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય કૃષિ ઉત્પાદકતામાં સુધારો કરવાનો અને ખેડૂતોની આવક વધારવાનો છે.

3 યુરિયા પ્લાન્ટ ફરીથી ખોલ્યા

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે યુરિયા ઉત્પાદનમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે સરકારે પૂર્વી ક્ષેત્રમાં બંધ પડેલા 3 યુરિયા પ્લાન્ટ ફરીથી ખોલ્યા છે. યુરિયાનો પુરવઠો વધારવા માટે આસામના નામરૂપ ખાતે 12.7 લાખ મેટ્રિક ટનની વાર્ષિક ક્ષમતા ધરાવતો પ્લાન્ટ સ્થાપવામાં આવશે.

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શું છે

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના સરકારે 1998 માં શરૂ કરી હતી. આ યોજના દ્વારા સરકાર દ્વારા ખેડૂતોને લોન આપવામાં આવે છે. ખેડૂતો લોનની રકમનો ઉપયોગ ખેતી માટે કરી શકે છે. આ યોજના હેઠળ ખેડૂતોને ખૂબ જ ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવે છે, જેથી ખેડૂતો પર કોઈ આર્થિક બોજ ન પડે.

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ, ખેડૂતોને ખેતી માટે 9 ટકાના વ્યાજ દરે લોન આપવામાં આવે છે. આ સાથે 2 ટકા સબસિડી પણ આપવામાં આવે છે. આ ઉપરાંત જો લોન સમયસર ચૂકવવામાં આવે તો વ્યાજ દરમાં 3 ટકાનો ઘટાડો થાય છે. આવી સ્થિતિમાં, ખેડૂતો આ યોજના હેઠળ માત્ર 4 ટકાના વ્યાજ દરે લોન લઈ શકે છે.

બજેટ મારૂ બજેટ ખેડૂત નિર્મલા સીતારમણ કેન્દ્ર સરકાર બિઝનેસ