scorecardresearch

TCS ના CEO રાજેશ ગોપીનાથને રાજીનામું આપ્યું, કે કૃતિવાસન નવા CEO બનશે, જાણો તેમના વિશે બધું

TCS New CEO K Krithivasan : ટીસીએસના સીઈઓ રાજેશ ગોપીનાથને રાજીનામું (CEO Gopinathan resigned) આપ્યું છે,હવે નવા સીઈઓ કે કૃતિવાસન હશે. હાલ માટે, ગોપીનાથન તેમના અનુગામીને મદદ કરવા માટે 15 સપ્ટેમ્બર, 2023 સુધી કંપની સાથે જોડાયેલા રહેશે.

CEO Gopinathan resigned
ટીસીએસ સીઈઓ રાજેશ ગોપીનાથન (ફોટો – એક્સપ્રેસ)

TCS New CEO K Krithivasan : Tata Consultancy Services Ltd એ ગુરુવારે કંપનીના અનુભવી કે કૃતિવાસનને CEO તરીકે નિયુક્ત કર્યા. જાન્યુઆરીમાં, રાજેશ ગોપીનાથને CEO તરીકે છ વર્ષ પૂર્ણ કર્યા અને તેમનો કાર્યકાળ 2027 સુધી લંબાવવામાં આવ્યો. પરંતુ 16 માર્ચે તેમણે રાજીનામું આપી દીધું હતું. TCS બોર્ડે 16 માર્ચ, 2023 થી પ્રભાવિત થતા CEO પદ માટે K કૃતિવાસનને નોમિનેટ કર્યા છે. જો કે, હાલ માટે, ગોપીનાથન તેમના અનુગામીને મદદ કરવા માટે 15 સપ્ટેમ્બર, 2023 સુધી કંપની સાથે જોડાયેલા રહેશે.

નવા CEO કૃતિવાસન 34 વર્ષથી TCS સાથે જોડાયેલા છે

TCSએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “કૃતિવાસન રાજેશ ગોપીનાથન સાથે ટ્રાંજિશનમાંથી પસાર થશે અને આગામી નાણાકીય વર્ષમાં મેનેજિંગ ડિરેક્ટર અને CEO તરીકે નિયુક્ત કરવામાં આવશે,” કૃતિવાસન હાલમાં TCS ખાતે બેન્કિંગ, ફાઇનાન્સિયલ સર્વિસિસ એન્ડ ઇન્સ્યોરન્સ (BFSI) બિઝનેસ ગ્રુપના પ્રમુખ અને વૈશ્વિક વડા છે. કૃતિવાસન 34 વર્ષથી વધુ સમયથી ગ્લોબલ ટેક્નોલોજી સેક્ટરનો હિસ્સો છે. તેઓ 1989માં ટાટા કન્સલ્ટન્સી સર્વિસમાં જોડાયા હતા. TCSમાં તેમના લાંબા કાર્યકાળ દરમિયાન, કૃતિવાસને સેલ્સ, કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ અને ડિલિવરીના ક્ષેત્રોમાં સેવા આપી છે.

ગોપીનાથન TCS ના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર સહિત અનેક નેતૃત્વના હોદ્દાઓ સંભાળી ચુક્યા છે. તેમના નેતૃત્વ હેઠળ, છેલ્લા ક્વાર્ટરમાં TCSના શેર લગભગ ત્રણ ગણા વધી ગયા છે અને આવક લગભગ બમણી થઈ ગઈ છે. તેમજ TCSનો નફો લગભગ 60% વધ્યો છે. TCSમાં તેમની સમગ્ર કારકિર્દી વિતાવ્યા બાદ, કૃતિવાસન TCSની લગભગ 35-40 ટકા આવક માટે જવાબદાર હતા, જે BFSI સેગમેન્ટમાંથી આવે છે. પ્રમુખ તરીકેની તેમની ભૂમિકામાં, તેઓ વિકાસ વ્યૂહરચનાઓનું આયોજન અને અમલ કરવા, નાણાકીય કામગીરી સુધારવા અને ગ્રાહક હિસ્સામાં વધારો કરવા માટે જવાબદાર હતા.

મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી

કૃતિવાસને કોઈમ્બતુર ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. આ એ જ સંસ્થા છે, જ્યાં ટાટા ગ્રૂપના ચેરમેન અને TCSના પૂર્વ સીઈઓ એન ચંદ્રશેખરને અભ્યાસ કર્યો હતો. તેમણે 1987માં IIT કાનપુરમાંથી ઔદ્યોગિક અને મેનેજમેન્ટ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી પણ પૂર્ણ કરી છે.

રાજેશ ગોપીનાથન 22 વર્ષથી TCS સાથે જોડાયેલા હતા

TCS એ સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું હતું કે, “TCS સાથે 22 વર્ષની શાનદાર કારકિર્દી અને છેલ્લા 6 વર્ષ દરમિયાન મેનેજિંગ ડિરેક્ટર અને CEO તરીકેના સફળ કાર્યકાળ પછી, રાજેશ ગોપીનાથને તેમના અન્ય હિતોને અનુસરવા માટે કંપનીમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે.”

આ પણ વાંચોદેશની સૌથી મોંઘી ડીલ, અબજો રૂપિયામાં વેચાયો એક ફ્લેટ, જાણો કયા ઉદ્યોગપતિએ ખરીદ્યો?

TCSના ચેરમેન એન ચંદ્રશેખરન રાજેશના રાજીનામા પર કહ્યું, “મને છેલ્લા 25 વર્ષથી રાજેશ સાથે કામ કરવાનું સૌભાગ્ય મળ્યું છે. આ સમયગાળા દરમિયાન રાજેશે મુખ્ય નાણાકીય અધિકારી તરીકેની તેમની અગાઉની ભૂમિકા સહિત વિવિધ ભૂમિકાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને પોતાને અલગ પાડ્યા છે. છેલ્લા 6 વર્ષોમાં, રાજેશે MD અને CEO તરીકે મજબૂત નેતૃત્વ પૂરું પાડ્યું છે અને TCSની વૃદ્ધિના આગળના તબક્કાનો પાયો નાખ્યો છે. ટીસીએસમાં રાજેશના શાનદાર યોગદાનની હું ખૂબ પ્રશંસા કરું છું. હું તેને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવું છું.”

Web Title: Ceo rajesh gopinathan resigned tcs new ceo k krithivasan tata group latest news

Best of Express